SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકને તૃપ્તિ થતી નથી. પાંચમા સ્તવનમાં કવિ પરમાત્મદર્શનની પ્રાપ્તિ માટે સમર્પણનો માર્ગ દર્શાવે છે. પરમાત્માના ચરણોમાં આત્મનિવેદન કરવું એ એક ઉત્કૃષ્ટ પ્રકારની ભક્તિ છે અને પરમાત્મા સાથે અભેદ સાધવાનો રાજમાર્ગ છે. કવિ પરમાત્માના દર્પણ જેવા નિર્મળ ચરણોમાં આત્મસમર્પણ કરવાનું કહે છે. આત્માના ત્રણ પ્રકારો છે; બાહ્ય પ્રવૃત્તિમાં રાચતો આત્મા તે બહિરાત્મા, જે અંતરંગમાં પ્રવેશે અને બાહ્ય પ્રવૃત્તિનો સાક્ષી બને તે અંતરાત્મા અને સર્વ ઉપાધિઓને છોડી સ્વ. સ્વભાવમાં સ્થિર થયેલ, અનેક ગુણોને ધારણ કરનાર તે પરમાત્મા. જે બહિરાત્માનો ત્યાગ કરી અંતર-આત્મામાં પ્રવેશે અને પરમાત્મસ્વરૂપ સાથે તન્મયતા સાધે તે જ સાચું આત્મસમર્પણ છે. કવિએ આ સ્તવનની પ્રથમ પંક્તિમાં જ મનોહર યમક અલંકાર યોજ્યો છે; સુમતિ ચરણકજ આતમ અરપણા, દરપણ જેમ અવિકાર.' યમક અલંકારની સાથે જ ‘રકારના પુનરાવર્તનને કારણે આ પંક્તિ અત્યંત હૃદયસ્પર્શી બની છે, અને યોગ્ય કંઠો દ્વારા ગવાય ત્યારે સમર્પણના ભાવને સુચારુરૂપે અભિવ્યક્ત કરે છે. ' કવિએ છઠ્ઠા સ્તવનમાં જીવ બહિરાત્મા રહ્યો અને પરમાત્મા વિશુદ્ધદશાને પામ્યા તેનું કારણ દર્શાવ્યું છે. પરમાત્મા અને જીવ વચ્ચે જે ભેદ છે તે કર્મના આવરણને કારણે છે. આ કર્મના પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ આદિ અપેક્ષાએ મુખ્ય અને ગૌણ એવા ઘણા ભેદો પડે છે. જ્યાં સુધી જીવ આ કર્મ સાથે જોડાયેલો રહે છે, ત્યાં સુધી સંસારી કહેવાય છે. કર્મોના પ્રવેશની પ્રક્રિયા “આશ્રવ કહેવાય છે અને રોકવાની પ્રક્રિયા સંવર' કહેવાય છે. તેઓ અનુક્રમે હેય-ઉપાદેય છોડવાયોગ્ય ગ્રહણ કરવા યોગ્ય) છે. પંડિતજનો ગ્રંથોને આધારે કહે છે કે, જીવે રાગ-દ્વેષ-મમત્વ આદિ ચીકાશને કારણે કર્મોને ગ્રહણ કર્યા છે અને ગુણકરણ દ્વારા અંતર દૂર કરી શકાય. ગુણકરણ એટલે ગુણોનો વિકાસ કરવો. સાધક પોતે ગુણકરણ માટે તત્પર થયો છે અને આશા છે કે, હવે અંતર દૂર થશે અને પરમાત્મા સાથે મિલન થશે. આ મિલનને કાવ્યાત્મક રીતે વર્ણવતાં કહે છે; તુજ મુજ અંતર અંતર ભાંજશે રે, વાજશે મંગલદૂર જીવ સરોવર અતિશય વધશે રે, આનંદઘન રસપૂર. (૬, ૬). સાધક અને પરમાત્મા વચ્ચેનું હૃદયનું આંતરિક અંતર દૂર થઈ જશે, અને "મંગળ તુરી ( દિવ્યવાદ્ય) વાગશે અને આત્મારૂપી સરોવર આનંદરૂપી ઘનના રસ વડે (આત્મસ્વરૂપના અનુભવ વડે) વૃદ્ધિ પામશે. જીવ શિવના મિલનનું આ મનોહર ચિત્ર કવિએ હૃદયના ઉલ્લાસથી આલેખ્યું છે. કવિની આ મનોહર આલેખનરીતિને કારણે આ તત્ત્વજ્ઞાનપ્રધાન કાવ્ય પણ અંતે કાવ્યતત્ત્વના આલ્હાદક છાંટણા જેવો અનુભવ કરાવે છે. કવિએ સાતમાં સ્તવનમાં પરમાત્મા જોડે એકતા સાધવા માટે ગુણકરણનો માર્ગ દર્શાવ્યો છે તે માટે ૧૫. મંગળ તુરી એ સાધનાના પરિણામે પ્રગટ થતા “અનાહત નાદનો સૂચક છે. ૧૯૬ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy