________________
ક્રોધ માન માયા લોભે શીખ માગી રે પંચ વિષય વિકારનો, હવે થયો ત્યાગી રે.
(૧૩, ૨-૩) આવા અપૂર્વ સામર્થ્યવંત પરમાત્માની પ્રાપ્તિને કારણે સાધકનો આત્મવિશ્વાસ અતિશય પ્રબળ બન્યો છે. સાધકને પીડા કરનારા મોહરાજાના સેનાપતિ સમા વિષયો અને કષાયોને દૂર થયેલા જોઈ સાધક હૃદયમાં પરમાત્મા પ્રત્યે દઢ શ્રદ્ધા પ્રગટી છે. આ દઢ શ્રદ્ધાને કારણે જ કવિ સર્વ સાધકોને ઉદ્દેશીને કહે છે;
મોહાયની ફેજ દેખી, કાં તમે ધૂજો રે અભિનંદ ઓઠે રહીને જોરે ઝંઝો રે.
(૪, ૨). દુર્ગતિના કારણરૂપ મોહનિર્બળ બની ગયો છે, એટલે હવે સાધકને દુર્ગતિનો ભય તો સંપૂર્ણપણે નષ્ટ થયો છે.
દુરગતિનાં સરવે દુખનું હવે દ્વાર દઉં રે ઉદયરત્ન પ્રભુ ! શિવપંથનું મેં સંબલ લીધું રે.
(૧૮, ૩) આવા મોહરાજાને હરાવનારા પરમાત્માનાં વચનો પર દઢ શ્રદ્ધા પ્રગટ થઈ છે. સાધકને પરમાત્માનાં વચનો અને દર્શન બંને અમૃત સમાન અનુભૂતિ કરાવનાર થાય છે. તુજ નયણ વયણે માહરે, અમૃત પીધું રે.
(૧૮, ૨) આવા ગુણવંત પરમાત્મા પ્રત્યે દઢ શ્રદ્ધાનું બીજ વવાયું છે. આ દઢ શ્રદ્ધારૂપી બીજને પોષનારું બળ પરમાત્માના અપૂર્વ ગુણો રૂપી મેઘ જ છે. એથી જ કવિ કહે છે,
બોધિબીજ વધારવા, જેમ ગુણનો મેહો રે. મન, વચન કાયા કરી હું દાસ તેહનો રે.
(૬, ૨) સાધકને પોતે જેનું દાસત્વ સ્વીકાર્યું છે એવા પરમ ગુણવંત સાહેબના નિત્ય દર્શનની ઇચ્છા જાગી છે. દરસન તેહનું દેખવા મુહને, લાગી ટેવો રે.
(૫, ૨) . એટલું જ નહિ સાધક સર્વ પાપક્રિયા છોડી પરમાત્માનું રાત-દિવસ ધ્યાન કરવા ઇચ્છે છે.
આશ્રવ ફુધી એક બુદ્ધિ, આસન વાળી રે ધ્યાન એમનું મનમાં ધરો, લેઈ તાળી રે.
(૧૦, ૨)
મા
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૯ ૧૬૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org