________________
રત્નસમોવડી તું અછે. મારા
દીઠે અમ સુખ થાય. મારા મુખડે ચંદ હાતિયો, માહરા બાલુડા. તેજે સૂરજ કોડી. મારા
રૂપ અનોપમ તાહરું. માચ૰ અવર ન તાહરી જોડી. મારા આંખડી કમળની પાંખડી. મા ચાલે હાર્યા હંસ. મારા તુજથી અમ સૌભાગિયા. મારા પવિત્ર કર્યો અમ વંશ. મારા૰ જે ભાવે તે સુખડી. મારા લીયો આપું ધરી નેહ. મારા ખોલામાંહી બેસીએ. મા તું અમ મનોરથ મેહ, મારા અમીય સમાણે બોલડે. માચ૰ બોલે ચતુરસુજાણ. મારા ભામણડે હું તાહરે. મારા૰ તું અમ જીવનપ્રાણ. મારા ખમા ખમા મુખે ઉચરે. માચ૰ જીવો કોડિ વિરસ. મા જ્ઞાનવિમલ જિન માવડી. મારા દીયે એમ નિત આશિષ, મારા
(૯, ૧૦)
ક્યાંક પોતાના દોષોનો એકા૨ કરી નિર્મળ બનવા ચાહતા સાધકના પ્રાયશ્ચિત્તભાવનું ચિત્ર જોવા મળે છે;
નરભવઃ દોહિલો રે, પામી મોહવશ પડિયો. પરસ્ત્રી દેખીને રે, મુજ મન તિહાં જઈ અડિયો. કામ ન કો સર્યા રે, પાપે પિંડ મેં ભરિઓ, સુધ બુધ નતિ રહી રે, તેણે નવિ આતમ તરીઓ.’
(વ, ૩, ૪)
પરંતુ સાધક હૃદયમાં વિશ્વાસ છે કે, આ ૫રમાત્મા જ ભવભ્રમણમાંથી તા૨શે. અનંત ભવ હું ભમ્યો રે, ભમતાં સાહિબ મલિયો, તુમ વિણ કોણ દિયે રે, બોધિ રયણ મુજ બલિયો.'
(૩, ૩, ૭)
‘સાહેબ’ જ તા૨શે અને તારવાના સાધનરૂપ બોધિ’ સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ પરમાત્માની સેવા વિના પ્રાપ્ત થવાની નથી. આથી કવિ પરમાત્માની સેવામાં દૃઢચિત્તે લાગ્યા છે.
Jain Education International
પરમાત્માની સેવા વાસ્તવિક અર્થમાં ૫રમાત્માના આજ્ઞાપાલન દ્વારા જ શક્ય થઈ શકે. એટલે કવિ આજ્ઞાપાલન અને શાસન (ધર્મ-આજ્ઞા-વ્યવસ્થા) પ્રત્યે પણ અંતરનો અપૂર્વ આદર ધરાવે છે. પરમાત્માની આજ્ઞાની ઓળખાણ આપતા કહે છે,
સિદ્ધસુખ આશિકા, ભાંતિ નિષ્કાશિકા, જિહાં થકી શિર ધરી આણતોરી અપ૨ પરિણતિ ગઈ, આપ પરિણતિ ભઈ, જ્ઞાન અનુભવ ક્રિયા દોર જોરી.’
(૬, ૨૩, ૬)
સિદ્ધ સુખને દેનારી, ભાંતિ દૂર કરનારી એવી તમારી આજ્ઞા જ્યારથી મસ્તકે ધા૨ણ કરી છે, ત્યારથી ૧૨૪ * ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય
For Personal & Private Use Only
www.jainelibrary.org