________________
આરસીતીર્થ આરાસણ
વિમલવસહી મંત્રીશ્વર વિમલકારિત આદિનાથના મંદિરનો એકદમ તો પત્તો મળતો નથી, પણ સાંપ્રતકાળે શાંતિનાથના મંદિર નામે ઓળખાતું જિનાલય મૂળે આદિનાથનું હતું તેવું તેમાંથી પ્રાપ્ત થતા પ્રતિમાલેખો તેમજ મંદિરની અંદરના અલંકાર દેવતાઓનાં પ્રતિમા વિધાનનાં પ્રમાણોથી સિદ્ધ થાય છે. મૂળનાયક શાંતિનાથની નાની શી ગાદી પર તો સં. ૧૩૦૪નો લેખ છે, પણ તેમાં તો પાર્શ્વનાથનું બિંબ કહ્યું છે, અને વિશેષમાં પ્રસ્તુત પબાસણવાળી પ્રતિમા મૂળે મહાવીર સ્વામીના મંદિરમાં હતી તેવો તેમાં સંકેત હોઈ, તેમ જ સાંપ્રત મંદિર પ્રસ્તુત લેખની મિતિથી પુરાણું હોઈ, તેનો કોઈ જ સંબંધ આ મંદિર સાથે નથી. પરિપાટીકારો અહીંના આદીશ્વરદેવના મંદિરને વિમલમંત્રી સાથે જોડતા હોઈ સંભવત: આ મંદિર મંત્રીશ્વરના સમયનું હોવું ઘટે. પણ આ મૂળ આદિનાથના મંદિરમાં વિમલમંત્રીના સમયમાં મૂકી શકાય તેવું કંઈ હોય તો તે કેવળ ગર્ભગૃહની દ્વારશાખા (બારશાખ) જ, બાકીનો બધો જ ભાગ સં. ૧૧૩૭(ઈ. સ. ૧૦૮૧-૮૨)ના સમયના પુનરુદ્ધાર-સંવિસ્તરણ સમયનો હોઈ, આ મંદિરને વિમલવસહી કહીએ તો પણ વ્યવહાર અને તેના વર્તમાન વાસ્તવિક સ્વરૂપે તે કર્ણદેવ સોલંકીના સમયનું ગણવું ઘટે. એ કારણ સબબ એનું વિવરણ અહીં તેના કાલાનુસાર આવતા ક્રમમાં લઈશું.
(૧) વીરનાથ ચૈત્ય (મહાવીરસ્વામીનું મંદિર) આ મંદિર અંતર્ગત રહેલા પ્રતિભા-લેખોમાં વીરનાથ ચૈત્યનો ઉલ્લેખ મળે છે, અને હાલ પણ તે મહાવીર સ્વામીના મંદિર તરીકે ઓળખાય છે. મંદિરનો મુખ્ય ભાગ સં. ૧૧૧૮(ઈ. સ. ૧૦૬૨)માં બન્યો હોય તેમ જણાય છે. ભૂલનાયકની પ્રતિષ્ઠાનું એ વર્ષ છે, જ્યારે દેવકુલિકાઓમાં મોટા ભાગના જૂના લેખો સં ૧૧૪૦(ઈ. સ. ૧૦૮૪)થી લઈ સં૧૧૪૮ (ઈ. સ. ૧૯૨) સુધીના છે.
આ મંદિર (ચિત્ર-૩) નેમિનાથના મંદિરથી ઈશાન ખૂણે આવેલું છે. મંદિરની માંડણી જગતી પર થયેલી છે. પ્રવેશે મુખચતુષ્કી (મુખચોકી) સાથે મેળવીને કરેલ મુખમંડપ, તે પછી અંદર જતાં રંગમંડપ, ચોકી, ગૂઢમંડપ અને મૂલપ્રાસાદની રચના કરી છે. છચોકી અને રંગમંડપ ફરતી પટ્ટશાલા સમેત ચતુર્વિશતિ જિનાલયની રચના છે, જ્યારે ગૂઢમંડપમાં છચોકીથી પ્રવેશ આપવા ઉપરાંત પૂર્વ-પશ્ચિમ પણ પ્રવેશદ્વારો કર્યા છે. આ પ્રવેશદ્વારોના સૂત્ર (સીધમાં) દેવકુલિકાઓ જ્યાં પૂરી થઈ જગતીનો કોટ શરૂ થાય છે, ત્યાં પણ દ્વાર મૂક્યાં છે. કોટના પશ્ચિમ દ્વારની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org