SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ મહત્સવ માટેની વ્યવસ્થા [૫૫] આચાર્ય મહારાજનું આગમન–આ પ્રતિષ્ઠા-મહોત્સવ શાસનસમ્રાટ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં ઊજવવાનું પેઢીને ટ્રસ્ટીઓએ નક્કી કર્યું હતું. આ માટે આચાર્ય મહારાજ, પોતાના શિષ્ય પરિવાર સાથે, ઉત્સવ શરૂઆત થયા પછી એથે દિવસે, માહ શુદિ ને સેમવારના રોજ, પાલીતાણું પધાર્યા ત્યારે ચતુર્વિધ શ્રીસંઘ, શ્રીસંઘના મોવડીઓએ તથા શેઠ આણંદજી કલ્યાણજીના વહીવટદાર ટ્રસ્ટીઓએ ખૂબ ઉલ્લાસથી એમનું સામૈયું કર્યું હતું. આચાર્ય મહારાજની પધરામણી થવાથી પ્રતિષ્ઠા-મહોત્સવ માટેના ચતુર્વિધ શ્રીસંઘના ભાવોલ્લાસમાં વિશેષ ભરતી આવી હતી. ઉછામણી–મુખ્ય જિનાલયમાં સાત જિનબિંબની પ્રતિષ્ઠા કરવાના આદેશો, ઉછામણી લાવીને, ચતુર્વિધ શ્રીસંઘ તથા શ્રીસંઘના અગ્રણીઓની વિશાળ હાજરીમાં, આ દિવસે તા. ૨-૨-૧૯૭૬ના રોજ બપોરના આપવામાં આવ્યા હતા. અને એથી સર્વત્ર આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ પ્રસરી ગયું હતું. અને આ આદેશે પ્રાપ્ત કરવાને જેમને અપૂર્વ પુષ્ય ગ જાગી ઊઠે હતો એમને સૌએ ધન્ય ધન્યના નાદથી વધાવી લીધા હતા, અને એમનું કંકુના તિલકથી બહુમાન કરવામાં આવ્યું હતું. ગણવાને મંત્ર–જે ભાગ્યશાળી ભાઈઓ-બહેનોને ગિરિરાજ ઉપર જિનેશ્વર ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાનો આદેશ મળ્યા હતા, એમને આ પુણ્ય કાર્યને અનેકગણે લાભ મળે એટલા માટે, દરેક વ્યક્તિને, એક મંત્ર છપાવીને પેઢી તરફથી વખતસર મોકલી આપવામાં આવ્યો હતો અને એની સાથે એમ પણ સૂચવવામાં આવ્યું હતું કે, પ્રતિષ્ઠા પહેલાંના ત્રણ દિવસથી શરૂ કરીને પ્રતિષ્ઠા-મહોત્સવ પછીના દસ દિવસ સુધી દરરોજ આ મંત્રની એક માળા ગણવી. જેઓએ માગણી કરી એમને પાલીતાણામાં પણ માહિતી કેન્દ્રમાંથી આ મંત્રની નકલ આપવામાં આવી હતી. આ મંત્ર આ પ્રમાણે છે– ॐ नमाऽर्हते परमेश्वराय चतुर्मुखाय परमेष्ठिने दिक्कुमारीपरिपूजिताय दिव्यશરીર શૈવયમદિતાય તેવાવિય થી (આ સ્થાને પોતાને મળેલ જિનેશ્વરનું નામ ઉમેરી લેવું.) નમ: વિધિકારકે-પ૦૪ જિનબિંબને ગાદીનશાન કરવાનું કામ ઘણું મોટું અને વિધિવિધાનમાં નિપુણ એવી અનેક વ્યક્તિઓની શક્તિ અને ભક્તિને માગી લે એવું હતું. આ બાબતની પેઢીના ટ્રસ્ટીઓને પૂરો ખ્યાલ હતું. એટલે એમણે વિધિ વિધના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005597
Book TitleShatrunjay uper thayel Pratishthano Ahewal
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy