________________
[૫૬]
પ્રતિષ્ઠાને અહેવાલ સમિતિની રચના કરી હતી અને અમદાવાદના શ્રી ભાઈલાલભાઈ નાનાલાલ અને એમની મંડળી, ખંભાતના પંડિત શ્રી છબીલદાસ કેસરીચંદ સંઘવી અને એમના સહકાર્યકરે તથા બીજા પણ કેટલાક વિધિકારકોની સેવાઓ માંગી લીધી હતી. એ બધાએ પણ પૂરા ઉમંગથી શાસન-પ્રભાવનાના આ અપૂર્વ પ્રસંગને વધાવી લીધો હતો અને બધાં ધર્માનુષ્ઠાને અને બધી ધર્મકિયાએ વેળાસર, વિધિસર અને સારી રીતે થાય એ માટે પૂરી ચીવટ રાખી હતી. આ પ્રતિષ્ઠા-મહોત્સવ ભવ્ય રીતે ઊજવાય એમાં આ વિધિકારક મહાનુભાવોને તથા વિધિવિધાન સમિતિના સભ્યને ફાળે પણ મહત્ત્વનો હતો, એમ કહેવું જોઈએ.
" આ બધી તે પ્રતિષ્ઠા-મહોત્સવની ઉજવણી સુંદર રીતે થઈ શકે એ માટે પાલીતાણું શહેરમાં તથા ગિરિરાજ ઉપર કરવામાં આવેલ શણગાર, સગવડો અને બીજી યોજના
ની વાત થઈ. : . હવે આ અવસરની ઉજવણી માટે યોજવામાં આવેલ દસ દિવસના ધર્મોત્સવના કાર્યક્રમમાંના શરૂઆતના આઠ દિવસના વિવિધ કાર્યક્રમોનાં પુનિત દર્શન કરી કૃતાર્થ
થઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org