________________
[૫૩]
મહત્સવ માટેની વ્યવસ્થા કરનાર પુણ્યશાળી વ્યક્તિ પિતાને પધરાવવાના જિનબિંબને પહેલાંથી જોઈ-જાણી લે, જેથી પ્રતિષ્ઠા વિધિ અને સમય બરાબર સાચવી શકાય.
ચાંદીને સિક્કો આ મહોત્સવ નિમિતે, એની યાદમાં, પેઢી તરફથી ચાંદીને ખાસ સિક્કો તૈયાર કરાવવામાં આવ્યો હતો. નવ ગ્રામ વજનના આ સિક્કાની એક બાજુ ૧૭૦ને યંત્ર અને બીજી બાજુ પ્રતિષ્ઠાના દિવસની તિથિ મૂકવામાં આવ્યાં હતાં. એ બાર રૂપિયાની પડતર કિંમતે મેળવી શકાતે હતો. મૂળનાયક તથા અન્ય જિનબિંબની ગાદી નીચે ગુપ્ત ભંડારમાં નાખવા માટે તેમ જ આ મહોત્સવની પવિત્ર સ્મૃતિ પિતાની પાસે સાચવી રાખવા માટે, પ્રતિષ્ઠાને આદેશ મેળવનાર ભાગ્યશાળીઓએ તથા અન્ય ભાવિક યાત્રિકેઓ આ સિક્કો ખરીદ્યો હતે.
ખાસ પાસની બેઠવણ–ગિરિરાજ ઉપર એકીસાથે પ૦૪ જિનબિંબોને ગાદીનશીન કરવાનાં હતાં અને નૂતન બાવન જિનાલય જિનપ્રાસાદમાં તથા અન્ય સ્થાનોમાં
જ્યાં જ્યાં જિનબિંબની પ્રતિષ્ઠા કરવાની હતી ત્યાં બધે, આ મહાન અવસરના પ્રમાણમાં, જગ્યા મર્યાદિત હતી. એટલે માહ શુદિ પાંચમના દિવસે સવારના સાડાનવ વાગતાં કરવામાં આવનાર અઢાર અભિષેકના વિધાન વખતે અને માહ શુદિ સાતમના રોજ સવારના ૯ કલાક, ૩૬ મિનિટ અને ૫૪ સેકંડનો મંગળ મુહૂર્તે થનાર જિનબિંબોની પ્રતિષ્ઠા વખતે, વધારે પડતી ભીડને કારણે, કોઈ પણ જાતની અવ્યવસ્થા થવા ન પામે અને આદેશ પ્રાપ્ત કરનાર બધાં ભાગ્યશાળીઓ, શાંતિ અને ઉલ્લાસથી એનો લાભ લઈ શકે એ પાક બંદોબસ્ત કરવાની ખાસ જરૂર હતી. આ બંને પ્રસંગમાં પૂરેપૂરી વ્યવસ્થા સચવાય એ માટે પેઢી તરફથી, બને દિવસો માટે, જુદા જુદા પાસ (બિલા) તૈયાર કરાવવામાં આવ્યા હતા.
આદેશ મેળવનાર બધાં ભાગ્યશાળીઓને અઢાર અભિષેક માટેના પાસ આગલા દિવસે (ચોથના દિવસે) અને જિનબિંબને ગાદીનશાન કરવા માટેના પાસ છઠ્ઠના દિવસે આપવામાં આવ્યા હતા. અને બધાં ભાઈઓ-બહેનને, નાહીને પૂજાનાં વસ્ત્રો પહેરીને, સમયસર, પિોતપોતાના સ્થાને હાજર થઈ જવાની સૂચના પત્રિકાઓ વહેંચીને તથા લાઉડ સ્પીકરથી જાહેરાત કરીને અગાઉથી આપવામાં આવી હતી.
આ પાસોની સંખ્યા અંગે ગોઠવણ નીચે મુજબ કરવામાં આવી હતી અઢાર અભિષેક માટે પ્રત્યેક વ્યક્તિને બે પાસ આપવામાં આવ્યા હતા. મૂળનાયક ભગવાનની પ્રતિમાને આદેશ લેનારને ૧૧ પાસ આપવામાં આવ્યા હતા.
મુખ્ય દેરાસરમાં બીજાં પ્રતિમાજી પધરાવવાને આદેશ પ્રાપ્ત કરનાર છ મહાનુભાવને દરેકને પાંચ પાસ આપવામાં આવ્યા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org