SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ (પર] પ્રતિષ્ઠાના અહેવાલ કેન્દ્ર રાખવામાં આવ્યું હતું. અહીથી સવારના નવ વાગતાંથી રાતના અગિયાર વાગતાં સુધી યાત્રિકાની પૂછપરછના ખુલાસા આપવામાં આવતા હતા. ઉપરાંત સમય સમયના કાર્યક્રમની તથા પ્રતિષ્ઠાને લગતી બીજી ખાખતાની માહિતી જુદા જુદા સ્થળે રહેલાં યાત્રિકા સુધી પહેાંચતી કરવા માટે ટહેલિયા મારફત જાહેરાત કરવામાં આવતી હતી, તથા પત્રિકાએ છપાવીને પણ બધી ધર્મશાળાઓમાં વહેંચવામાં આવતી હતી. વળી, ઘેાડાગાડીમાં લાઉડસ્પીકર ગાઠવીને એ દ્વારા, સ્વયંસેવક ભાઈએ શહેરમાં ઠેર ઠેર, જે તે સમયે થનાર કાર્યક્રમાની સમયસર જાણ કરતા રહેતા હતા. નજરબાગમાં વિશાળ મડપ—શ્રી સિદ્ધક્ષેત્ર જૈન શ્રાવિકાશ્રમની નજીકમાં વિશાળ ખુલ્લુ મેદાન આવેલું છે, જે નજરબાગના નામથી ઓળખાય છે, અહીં વિશાળ મડપ ઊભા કરીને એની આગળ ઊંચુ` સુંદર પ્રવેશદ્વાર મૂકવામાં આવ્યું હતું અને મંડપમાં તથા આસપાસ સારા પ્રમાણમાં વીજળીની રંગબેરગી રાશની કરવામાં આવી હતી. આ મંડપ દિવસભર તેમ જ રાત્રે પણ યાત્રિકાથી અને પૂજા-ભાવનાનાં કામક્રમેાથી ગુજતા રહેતા હતા. અપેારના અહી રાજ જુદી જુદી પૂજાએ ભણાવવામાં આવતી હતી અને રાત્રે ભાવના બેસતી હતી. અને ભાવિક જને એમાં માટી સંખ્યામાં હાજરી આપી એને ખૂબ લાભ લેતાં હતાં, જાણીતા સ*ગીતકાર શ્રી રસિકલાલ ખભાતવાળાને, એમની મ`ડળી સાથે, પૂજા અને ભાવના માટે આમત્રવામાં આવ્યા હતા. તેએ તથા એમના સાથીએ પાતાની સંગીતકળાથી સૌને ભક્તિરસમાં લીન બનાવી દેતા હતા. વળી જુદાં જુદાં અનુષ્ઠાના તથા વિધિવિધાન વગેરેની ઉછામણીએ રાત્રે ભાવનાના વખતે આ મડપમાં જ એલાવવામાં આવતી હતી. માહ શુદિ પાંચમના રાજ રથયાત્રાના વિશાળ વરઘેાડા આ સ્થાનમાંથી જ શરૂ થયા હતા અને આખા શહેરમાં ફરીને અહી જ ઊતર્યાં હતા. આ રીતે નજરબાગનું મેદાન આ મહાત્સવનું મહત્ત્વનું અને આકર્ષીક કેન્દ્ર ખની ગયું હતું. ગિરિરાજ ઉપર રાશની—જૈન સ`ઘને માટે આ પ્રસંગ ઘણા માહિમાવતા હતા, એટલે પાલીતાણા શહેરની જેમ ગિરિરાજ ઉપર પણુ, વીજળીની ખાસ ગાઠવણુ કરીને, દાદાની ટૂંકમાંનાં જિનમદિરોને રાશનીથી શણગારવામાં આવ્યાં હતાં. આ રાશની ગિરિરાજના પાછળના ( આતપર તરફના ) ભાગમાંથી દૂર દૂર સુધી દેખી શકાતી હતી. એથી પણ લેાકાને એ વાતની જાણ થતી હતી કે, શ્રી શત્રુ'જય પર્વત ઉપર કાઈ માટો ઉત્સવ ઊજવાઈ રહ્યો છે. જિનબિંબાના સ્થાને નખર—બધાં જિનબિખાને પોતપાતાનાં નિયત સ્થાને ગોઠવી દઈ ને ત્યાં નખરો લખી દેવામાં આવ્યા હતા, જેથી પ્રતિષ્ઠાના આદેશ પ્રાપ્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005597
Book TitleShatrunjay uper thayel Pratishthano Ahewal
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy