SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ મહત્સવ માટેની વ્યવસ્થા [૫] વળી એકાસણાં કે બેસણાંનું તપ કરનારાઓ તથા ગરમ પાણી વાપરનારાઓ જમીન પર એકીસાથે બસની સંખ્યામાં બેસી શકે એવી સગવડ પણ આ મંડપમાં કરવામાં આવી હતી. જમવા માટેની આ બધી વ્યવસ્થા શેઠ આણંદજી કલ્યાણજીના વંડામાં કરવામાં આવી હતી. દસ દિવસના આ મહોત્સવ દરમ્યાન માહ શુદિ ૨ થી માહ શુદિ ૭ (તા. ૨-૨-૭૬, થી તા. ૭–૨–૭૬) સુધી છ દિવસની નવકારશી જુદા જુદા સદ્દગૃહસ્થા તરફથી કરવામાં આવી હતી. એમાં પહેલે દિવસે આઠેક હજાર માણસ અને પ્રતિષ્ઠાને દિવસે વીસેક હજાર માણસે જમ્યાં હોવા છતાં, જમનારાઓની સંખ્યામાં ઘણું વધારે થવાને કારણે પણ, વ્યવસ્થા કે સ્વચ્છતામાં કઈ પણ જાતની ખામી આવવા પામી ન હતી, એ આ પ્રસંગની અસાધારણ વિશેષતા હતી. શેઠશ્રી કસ્તુરભાઈએ પિતે તથા પેઢીના બધા ટ્રસ્ટીઓએ પણ નવકારશીના આ જમણનો લાભ લીધો હતો અને તેથી શેઠશ્રી કસ્તુરભાઈએ આ સુંદર વ્યવસ્થાની અને ત્યાંની આદર્શ સ્વચ્છતાની, જાતઅનુભવને આધારે, જે પ્રશંસા કરી હતી તે બિલકુલ અંધાઈ હતી અને એમાં અનેક પ્રશંસકોની લાગણીને પડઘો રહેલો હતે એમાં શક નથી. પાલીતાણા શહેરના અને આ પ્રતિષ્ઠા મહોત્સવના ઈતિહાસમાં નવકારશીની આ વ્યવસ્થા ચિરસ્મરણીય બની રહેશે અને એના સંચાલકની યશગીથા સંભળાવતી રહેશે. માહ શુદિ ૮ના દ્વારેદ્દઘાટનના દિવસે યાત્રિકોની સંખ્યા સારા પ્રમાણમાં ઓછી થઈ જવાની શક્યતા હતી, કારણ કે આસપાસનાં ગામમાંથી આવેલ યાત્રિકે પ્રતિષ્ઠાના દિવસથી જ વિદાય થવા લાગ્યાં હતાં એટલે યાત્રિકો માટે આઠમા દિવસની જમવાની વ્યવસ્થા સારુ, ત્રણ મહાનુભાવો તરફથી, શ્રી સિદ્ધક્ષેત્ર જૈન ભોજનશાળામાં, સવારથી સાંજ સુધીને માટે, સ્વામીવાત્સલ્યનું જમણ રાખવામાં આવ્યું હતું અને એને લાભ પાંચેક હજાર યાત્રિકોએ લીધો હતો. આ ઉપરાંત વિધિ કરનારાઓ તથા બીજી સમિતિઓના કાર્યકરે બે ટંક જમી શકે અને સવારને નાતે કરી શકે એવી પણ ગોઠવણ કરવામાં આવી હતી. માહિતી કેન્દ્ર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું કાર્યાલય પાલીતાણામાં જસકોરની ધર્મશાળામાં આવેલું છે. વીજળીની રેશની અને પ્રવેશદ્વાર આગળ બાંધેલ મંડપથી એ સૌકેઈનું ધ્યાન ખેંચતું હતું. પ્રતિષ્ઠાના વિવિધ કાર્યક્રમની વિગતવાર જાણકારી યાત્રાળુઓને મળી શકે અને કોઈ પણ બાબત અંગે યાત્રિકે પૂછપરછ કરી શકે, એટલા માટે પેઢીની બહારના ભાગના મેટા ઓટલા ઉપર પ્રતિષ્ઠા-મહોત્સવ માહિતી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005597
Book TitleShatrunjay uper thayel Pratishthano Ahewal
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy