SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ મહેસવા માટેની વ્યવસ્થા [૪૯] પારખીને, આવી સગવડ પેઢીને કરી આપી હતી. આ ઉપરાંત, કેટલીક સ્કૂલેમાં પણ યાત્રિકને ઉતારવાની ગોઠવણ કરવામાં આવી હતી. અને, વિશેષ જરૂર જણાય તે ઉપયોગમાં લઈ શકાય એ માટે, નજરબાગમાં પણ મોટા શમિયાના ઊભા કરવામાં આવ્યા હતા, અને વધારે શમિયાના અનામત પણ રાખવામાં આવ્યા હતા. આવાં બધાં પ્રયત્નોને લીધે તેમ જ ધર્મશાળાઓના સંચાલક પાસેની વિપુલ સામગ્રી તથા સગવડને લીધે આ મહોત્સવ ઉપર આવેલ વિશાળ જનસમુદાયને માટે ઉતારાની વ્યવસ્થા એકંદર સંતોષકારક અને ઓછી તકલીફવાળી થઈ હતી, એમ દેખાતું હતું. વળી આ મહોત્સવ માટે રચવામાં આવેલ જુદી જુદી સમિતિઓ એકબીજાના સંપર્કમાં રહીને સહકારથી કામ કરી શકે એ માટે એમને ઉતારી પંજાબી ધર્મશાળામાં એક સ્થાને જ રાખવામાં આવ્યો હતો. શિયાળાના સમયમાં યાત્રિકોની આટલી મોટી સંખ્યાને પાથરવા-ઓઢવાનું પાગરણ પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે બહારગામથી ગાદલાં તથા રજાઈ ઓ હજારેની સંખ્યામાં પેઢીએ મંગાવી રાખ્યાં હતાં. કાયદો અને વ્યવસ્થાને બંદેબસ્ત–દસ દિવસ સુધી ચાલનાર અને હજારે યાત્રિકોની ઉપસ્થિતિથી દીપી ઊઠનાર આ વિરાટ મહોત્સવ દરમ્યાન કેઈ પણ જાતની અવ્યવસ્થા કે અશાંતિ ઊભી થવા ન પામે અને બધા કાર્યક્રમ, યેજના મુજબ, સફળ રીતે ચાલતા રહે એ માટે જરૂરી પોલીસ-બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો. શહેરને શણગાર–પાલીતાણા શહેરના પ્રવેશસ્થાનથી તે ઠેઠ તલાટી સુધી ઠેર ઠેર ધજાપતાકાઓ બાંધીને તથા કમાનો ઊભી કરીને શહેરને શણગારવામાં આવ્યું હતું અને મોટા ભાગની ધર્મશાળાઓએ વીજળીની રંગબેરંગી રોશનીથી પિતાની ઈમારતને ઝળહળતી બનાવી હતી. ધર્મશાળાઓ વગેરેનાં મકાને રેશનીથી વધારે શોભાયમાન બને એ માટે રેશનીની હરીફાઈ પણ યોજવામાં આવી હતી. અને શ્રેષ્ઠ રેશની કરનારને ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આને લીધે પાલીતાણું શહેર એવું શોભાયમાન બની ગયું હતું કે જેથી કોઈ અજાણ્યા આગંતુકને પણ એમ લાગે કે, આ શહેરમાં કઈક માટે સમારેહ ઊજવાઈ રહ્યો છે. આ પ્રમાણે પાલીતાણું શહેરે કઈ ઔર શેભા ધારણ કરી હતી, જે સર્વથા પ્રસંગને અનુરૂપ જ હતી, અને સૌએ એમાં હોંશથી પિતાને સાથ પણ આપ્યા હતા. . જમવાની જગી અને આદર્શ વ્યવસ્થા–આ મહોત્સવ ધારણા મુજબ સફળ થયે અને સૌકઈ એનાં સુમધુર સ્મરણે પિતાની સાથે લઈ ગયાં, એમાં આ પ્રસંગે ઘણા મોટા પાયા ઉપર કરવામાં આવેલ જમણ માટેની દાખલારૂપ વ્યવસ્થાને ફાળે અસાધારણ હતું એમ કહેવું જોઈએ. બીજી બધી સગવડ સારી અને સંતોષકારક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005597
Book TitleShatrunjay uper thayel Pratishthano Ahewal
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy