________________
[૪૩
તૈયારી
(૫) માહિતી તથા પ્રચાર સમિતિ (નવ સભ્ય); કન્વીનર, શ્રી મહેન્દ્રભાઈ પી. ફડિયા. (૬) સ્વયંસેવક સમિતિ (આઠ સ; કન્વીનર, શાંતિલાલ કેશવલાલ શાહ
(ઉર્ફે બાબુભાઈ) (૭) વરઘોડા સમિતિ (છ સ). (૮) નાણું સમિતિ (નવ સભ્યો).
શ્રી કલ્યાણભાઈ પી. ફડિયાએ બધી સમિતિઓની કામગીરીની દેખરેખ રાખવાની અને એમને જરૂરી સલાહ-સૂચના અને સહાય આપવાની મહત્ત્વની અને પાયાની કામગીરી સંભાળી હતી; અને આ કામગીરીમાં એમણે પંડિત શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધીને પિતાની સાથે રાખ્યા હતા.
આ રીતે સમિતિઓની રચના કરીને દરેક સમિતિના કન્વીનરના હાથ નીચે, જે તે સમિતિએ બજાવવાની કામગીરીને ધ્યાનમાં લઈને, એની જરૂરિયાત મુજબ, જુદી જુદી સંખ્યાના કાર્યકરે મૂકવામાં આવ્યા હતા.
આ પ્રકારની ગોઠવણ થયા પછી હવે વ્યવસ્થાતંત્ર અંગે વિશેષ ચિંતા કે વિચારણા કરવાની ન હતી, પણ ૩૦મી જાન્યુઆરીથી શરૂ થતા દસ દિવસના મહોત્સવને શાનદાર રીતે કામિયાબ બનાવવા માટે, સમયસર પાલીતાણા પહોંચી જઈને, સૌએ કામે લાગી જવાનું હતું. વિશેષ આનંદ ઉપજાવે એવી વાત તો એ હતી કે, આ વ્યવસ્થાતંત્રમાં જેમને જેમને પિતાની સેવાઓ આપવાનો અવસર મળે એમણે એને, લેશ પણ ભારરૂપ માનવાને બદલે, એક અપૂર્વ પુણ્ય પ્રસંગમાં સામેલ થવાને અણમોલ અવસર મળે માનીને, પિતાના પરમ સદ્દભાગ્યરૂપે ઉમંગથી વધાવી લીધું હતું. એટલે પછી સૌ પિતપોતાના કામમાં પૂરા ઉત્સાહથી પરેવાઈ જાય એમાં શી નવાઈ? સૌનાં અંતરમાં જાણે એક જ સાદ ગુંજતો હતે ઃ “અવસર બેર બેર નહીં આવે!” આ લાખેણે અવસર ફરી ફરી ક્યાં મળવાનો હતો ? એને તે બને તેટલો વધુ લાભ લઈ લીધો જ સારે !
દસ દિવસ સુધી ચાલેલા આ મહાન પુણ્ય અવસરની ઉજવણી યાદગાર, અતિહાસિક, સર્વાગ સંપૂર્ણ અને શાનદાર થઈ શકી એને યશ જેમ આ મહોત્સવ ઉપર હાજર રહેલ ભાવિક ચતુર્વિધ શ્રીસંઘને ઘટે છે, તેમ ઉજવણી અંગેની નાની-મેટી તમામ પ્રકારની વ્યવસ્થા સાચવવાની જવાબદારીને સારી રીતે પૂરી કરનાર આ સમિતિઓના બધા ધ્યેયનિષ્ઠ કાર્યકરોને તેમ જ પેઢીના સંચાલકોને પણ ઘટે છે.
ખચની ગોઠવણ દેશભરના જૈન સંઘમાં મહોત્સવ નિમિત્તે જે ઉત્સાહ જા. હતો તે જોતાં, એને સફળ બનાવવા માટે જેમ વ્યવસ્થિત અને વિશાળ વ્યવસ્થાતંત્રની જરૂર હતી તેમ, હજારે કે લાખોના ખર્ચને સરળતાથી પહોંચી શકાય એવી આર્થિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org