________________
તૈયારી
[૩૭] અનેક વર્ષો પછી પરમપાવન સિદ્ધગિરિરાજ ઉપર પ્રતિષ્ઠાનો મંગળ પ્રસંગ આ વર્ષે શ્રીસંઘને પ્રાપ્ત થયો છે. આ મંગળ પ્રસંગ આવે ત્યારે શ્રીસંઘમાં ઉલ્લાસનું મંગળ વાતાવરણ સર્જાય તેવો પ્રયત્ન આપણે સૌએ કરે જોઈએ. આવા મંગળ પ્રસંગે વિક્મ નાખવું કે અમંગળ વાતાવરણ સર્જવું એ જરા પણ ઉચિત નથી.
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ દેવદ્રવ્યના રક્ષણ માટે આજ સુધી ઘણા જ પ્રયત્નો કર્યા છે. તે પેઢી દેવદ્રવ્યની હાનિ ઈચ્છે એવું કંઈ પણ માની શકે નહિ.
શ્રી જિનશાસન માટે સૌએ એક થઈને ઊભા રહેવું એ આપણી સૌની પવિત્ર ફરજ છે. આવી રીતની વિરોધની પ્રવૃત્તિ જાણે અજાણે પણ શાસનને ખૂબ છિન્નભિન્ન કરવામાં પરિણમે છે.
માટે શ્રી ચતુર્વિધ સંઘને મારી નમ્ર વિજ્ઞપ્તિ છે કે આવા મંગળ પ્રસંગે મન, વચન કે કાયાથી વિધ્ર નાખી પિતાનું જ અમંગળ કરવાની પ્રવૃત્તિથી સૌકઈ દૂર રહે અને આ પાવનકારી પ્રભુપ્રતિષ્ઠાના મંગળ કાર્યમાં કરણ, કરાવણ અને અનુમોદના દ્વારા સૌ પિતાને સાથ સહકાર આપે. શ્રી શંખેશ્વરજી તીર્થ સંઘસ્થવિર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ (બાપજી) પિષ સુદી ૧૫, ના પટ્ટધર, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજના શિષ્ય સં. ૨૦૩૨
મુનિરાજ શ્રી ભુવનવિજ્યાન્તવાસી મુનિ જંબવિજય.
(૨) પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયમંગલપ્રભસૂરીશ્વરજી મહારાજ તરફથી આ પ્રમાણે ખુલાસે પ્રગટ કરવામાં આવ્યો હતો
પરમપૂજ્ય આચાર્ય દેવ મંગલપ્રભસૂરીશ્વરજી તથા પરમપૂજ્ય આચાર્ય દેવ અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ. ને ખુલાસો
તા. ૫-૧-૭૬ જિનશાસન રક્ષાસંઘ જામનગરથી તથા કલ્યાણ માસિકના પ્રકાશનમાં અમારા નામને દુરઉપયોગ કરવામાં આવ્યું છે તે ઉચિત નથી.
તીર્થાધિરાજના પ્રતિષ્ઠાના શુભ કામમાં સર્વ જીવનું કલ્યાણ જ છે. એમાં સૌ કેઈએ ભાગ લેવો તે શ્રેયકારી છે. સંઘે ઠરાવ કર્યા પછી તેને વિરોધ કરે તે જરા પણ ઉચિત નથી. સાંડેરાવ ભવન, પાલીતાણા,
મંગલપ્રભસૂરિ તા. ૨૦-૧-૭૬
(૩) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ તા. ૨૨-૧-૧૯૭૬ નાં કેટલાંક વર્તમાનપત્રોમાં નીચે મુજબનું જાહેર નિવેદન પ્રગટ કર્યું હતું–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org