________________
[૩૬]
પ્રતિષ્ઠાને અહેવાલ જૈન સંઘને આદેશ આપ્યું હતું કે, આ પ્રતિષ્ઠા-મહોત્સવ એ તે ભારતભરના સમસ્ત જૈન સંઘને અપૂર્વ મહોત્સવ છે. તેથી પ્રતિષ્ઠા-મહોત્સવના મંગલ મુહૂર્ત વખતે (વિ. સં. ૨૦૩૨ ના માહ સુદી ૭, તા. ૭-૨-૧૯૭૬ શનિવારના રોજ સવારના ૯-૩૬-૫૪ વાગતાં) બધાએ પોતપોતાના ગામનગરમાં ઘંટનાદે કરીને, પૂજા ભણાવીને તેમ જ જે છોડાવિીને એને પૂર્ણ ઉલ્લાસથી વધાવી લે.
આ પાંચે નિવેદન મહત્વનાં તેમ જ પરિણામલક્ષી હોવાથી અહીં ઉદ્ધત કરવામાં આવે તે ઉચિત તથા જરૂરી છે.
પરમ પૂજ્ય મુનિરાજ શ્રી જંબુવિજયજી મહારાજે પ્રગટ કરેલું નિવેદન આ પ્રમાણે હતું– - પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ (બાપજી મહારાજ)ના સમુદાયના પ્રસિદ્ધ વિદ્રાન તપસ્વી મુનિરાજ શ્રી જંબુવિજ્યજી મ. તરફથી
શ્રી સકલ સંધને વિજ્ઞપ્તિ - શ્રી શત્રુંજય સિદ્ધગિરિરાજ ઉપર નિર્માણ થયેલા નૂતન જિનમંદિરમાં અમુક ' પ્રતિમાજીની પ્રતિષ્ઠાનો આદેશ નકરાથી આપવાની જાહેરાત શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી ગયા વર્ષે શ્રાવણ માસમાં સમાચારપત્રોમાં જાહેર રીતે કરવામાં આવી હતી. કરછમાં પત્રી ગામમાં ચતુર્માસ દરમ્યાન આ જાહેરાત મારા જેવામાં આવી હતી.
ત્યાર પછી તે ઘણા મહિના વીતી ગયા. હમણાં હું કચ્છ ભદ્રેશ્વરજી તીર્થમાં હતા તથા ત્યાંથી વિહાર કરીને શંખેશ્વરજી તીર્થમાં આવતો હતો તે દરમ્યાન વર્તમાનપત્ર અને પત્રિકામાં આને વિરોધ વાંચવામાં આવ્યું. વિરોધ કરનારાઓને રહી રહીને આટલો મેડો વિરોધ કરવાનું કેમ સૂઝયું એ મોટું આશ્ચર્ય થયું. અને વિરોધમાં કરવામાં આવતો ખોટે પ્રચાર વાંચીને ઘણું દુઃખ પણ થયું. વિરોધ કરનારાઓનું કહેવું છે કે આ આદેશ લોટરી પદ્ધતિથી આપવામાં આવ્યો છે, અને આપણી પ્રાચીન પ્રણાલિકાને ભંગ કરે છે વગેરે વગેરે.
ખરેખર, હકીક્તને વિકૃત કરીને આ વાત રજૂ કરવામાં આવે છે. ઉછામણીથી અથવા નકરાથી આદેશ આપવાની પ્રથા જૈન સંઘમાં પરાપૂર્વથી ચાલી આવે છે. કેઈ પણ પ્રશ્નમાં અનેક માગણીઓ હોય ત્યારે બિલકુલ સરળતાથી તે તે પ્રશ્નોને ઉકેલવા માટે ચિઠ્ઠી ઉપાડીને નિર્ણય કરવાની પ્રથા જૈન સંઘમાં વર્ષોથી ચાલી આવે છે. અને તે ખૂબ જ માન્ય પ્રથા છે. આમાં લેટરી શબ્દનો પ્રયોગ કરવો એ પણ તદ્દન અનુચિત અને અવાસ્તવિક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org