________________
[૩૫]
તૈયારી
આ વિધિને શમાવવા માટે અને પ્રતિષ્ઠાને આદેશ મેળવનાર ભાવિક જ આ પ્રતિષ્ઠા-મહોત્સવમાં જિનબિંબ પધરાવવાના અમૂલ્ય લાભથી વંચિત રહી ન જાય એ માટે તેમ જ શ્રીસંઘ આવા પુણ્ય અવસરે મેટી સંખ્યામાં હાજર રહેતા ન અચકાય એ માટે પેઢી તરફથી તથા બીજા જવાબદાર શ્રમણ ભગવંતે તરફથી વસ્તુસ્થિતિની શાંત રજૂઆત કરવાના જે પ્રયત્ન કરવામાં આવ્યા હતા, તેમાં પાંચ નિવેદન વિશેષ નોંધપાત્ર હતાં.
આમાંનું પહેલું નિવેદન શાસ્ત્ર અને પરંપરાના જાણકાર પરમપૂજ્ય મુનિરાજ શ્રી જબૂવિજયજી મહારાજ તરફથી કરવામાં આવ્યું હતું અને તે અમદાવાદના દૈનિક પત્ર “ગુજરાત સમાચાર”ના તા. ૧૮-૧-૧૯૭૬ના અંકમાં પ્રગટ થયું હતું. બીજું નિવેદન, આ વિવાદમાં કરવામાં આવતા પિતાના નામનો દુરુપયેગની સામે સાચી વાતને ખ્યાલ આપતું પરમપૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયમંગલપ્રભસૂરીશ્વરજી મહારાજ તરફથી કરવામાં આવ્યું હતું. બહુ જ સંક્ષિપ્ત ખુલાસારૂપ આ નિવેદન “ગુજરાત સમાચાર” દૈનિકના તા. ૨૧-૧-૧૯૭૬ ના અંકમાં છપાયું હતું. ત્રીજું બહુ જ ટૂંકું, બિલકુલ મુદ્દાસરનું અને છતાં ભ્રમનું નિવારણ કરતું નિવેદન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી, તા. ૨૨-૧-૧૯૭૬ નાં અખબારેમાં, છપાવવામાં આવ્યું હતું. આ પછી ચોથું નિવેદન આ પ્રતિષ્ઠા-મહોત્સવના દસ દિવસના કાર્યક્રમની શરૂઆત થયા પછી, જેઓશ્રીની નિશ્રામાં આ પ્રતિષ્ઠા-મહત્સવની ઉજવણું થઈ રહી હતી, તે પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજી મહારાજ તથા પરમપૂજય આચાર્ય મહારાજ શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજના નામથી તા. ૩-૨-૧૯૭૬નાં છાપાંઓમાં પ્રતિદ્ધ થયું હતું. આ નિવેદન પણ ટૂંકું જ હતું. અને પાંચમું નિવેદન બરાબર પ્રતિષ્ઠાના સુઅવસરે, તા. પ-ર-૧૯૭૬ ના રેજ, મુંબઈનાં અખબારોમાં પ્રસિદ્ધ થયું હતું. આ નિવેદન કઈ પણ જાતના ખુલાસારૂપે નહીં, પણ પ્રતિષ્ઠા-મહોત્સવની ઉજવણીમાં વ્યાપક રૂપે પિતાને સૂર પુરાવવાના સમસ્ત શ્રી જૈન સંઘને આપવામાં આવેલ આદેશરૂપે પ્રગટ કરવામાં આવ્યું હતું. આ નિવેદન ઘણું મોટું હતું.
ઐતિહાસિક ગણ શકાય એવું આ નિવેદન તે વખતે મુંબઈમાં બિરાજતા પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયમેરુપ્રભસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભુવનચંદ્રસૂરીશ્વરજી મહારાજ આદિ શમણુભગવતેની સહીથી પ્રગટ કરવામાં આવ્યું હતું. આ આચાર્ય મહારાજેએ તે દ્વારા ભારતભરના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org