________________
તૈયારી
[૩૩] આદેશને નિર્ણય સંધ જોગી વિનતિમાં જણાવવામાં આવ્યા પ્રમાણે ૭ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવાના આદેશે એ પ્રતિષ્ઠા કરનાર મહાનુભાવેના વંશજોને આપવામાં આવ્યા હતા. અને નૂતન જિનાલયના મુખ્ય મંદિરમાં બિરાજમાન કરવામાં આવનાર મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા સહિત સાત પ્રતિમાઓને પધરાવવાના આદેશે પ્રતિષ્ઠા-મહોત્સવ દરમ્યાન, પાલીતાણું શહેરમાં, ઉછામણી લાવીને, તા. ૨-૨-૧૯૭૬ના રોજ, આપવાના હતા. એ રીતે કુલ ૫૦૪ જિનબિંબેમાંથી ૧૪ પ્રતિમાઓને બાદ કરતાં બાકીની ૪૯૦ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવાના આદેશે કોને મળે છે એને નિર્ણય, ચાર વિભાગમાં આવેલ અરજીઓમાંથી, ચિઠ્ઠીઓ ઉપાડીને કરવાનું હતું.
આ નિર્ણય તા. ૨૨-૧૨-૧૫ ના રોજ બપોરના, પેઢીના કાર્યાલયમાં, પેઢીને પ્રમુખ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ વગેરે વહીવટદાર ટ્રસ્ટીઓની હાજરીમાં, એમના જ હાથે ચિઠ્ઠી ઉપડાવીને, કરી લેવામાં આવ્યો હતો. આ માટે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે, પ્રતિષ્ઠા કરવાનો આદેશ મેળવનાર વ્યક્તિએ ક્યા સ્થાનમાં, કયા તીર્થંકર ભગવાનનાં, કયા નંબરનાં અને કેટલા માપનાં પ્રતિમાજી પધરાવવાનાં છે, એ પણ એ વખતે જ નક્કી થઈ જાય. - આ નિર્ણયની જાણ પ્રતિષ્ઠાને આદેશ મેળવનાર દરેક પુણ્યશાળી ભાઈ-બહેનને સમયસર કરી દેવામાં આવી હતી. જેમને જેમને આ આદેશ મળે હતે તેઓ તે પિતાનું સદભાગ્ય અને પિતાનો પુણ્યગ જાણી ઊઠ, એમ માનીને જાણે હર્ષઘેલાં થઈ ગયાં હતાં.
વળી, પિતાના પૂર્વજોએ પધરાવેલ પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા કરવાના આદેશે એ પૂર્વજોના જે જે વારસદારોને મળ્યા હતા, એમને પણ એની ખબર તરત પહોંચાડી દેવામાં આવી હતી.
આ રીતે પ્રતિષ્ઠા કરાવનાર ભાગ્યવંત સહધમી ભાઈઓ-બહેનોનાં નામ નક્કી થઈ જવાને લીધે શ્રીસંઘમાં, આ પ્રતિષ્ઠા-મહોત્સવ અંગે, કોઈ અનેરા ઉત્સાહનું મોજું પ્રસરી ગયું હતું અને જિનેશ્વર ભગવંતના બિંબને પધરાવવાની એ ધન્ય ઘડી ક્યારે આવી પહોંચે એની બધાં ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યાં હતાં.
આટલાં બધાં જિનબિંબની પ્રતિષ્ઠા કરવાને પુણ્યલાભ મળવાથી ક્યા કયા મહાનુભાવ આત્માઓનાં જીવન ધન્ય બનવાનાં હતાં, એને છેવટને નિર્ણય આ પ્રમાણે લેવાઈ ગયું હતું, એટલે હવે આ પ્રતિષ્ઠા મહોત્સવ, એક અપૂર્વ પુણ્યઅવસર તરીકે,
૫
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org