________________
[૩૨]
પ્રતિષ્ઠાને અહેવાલ - જે ભાઈ-બહેનને જે વિભાગમાં પ્રતિમાજી બિરાજમાન કરવાની ભાવના હોય તેમણે તે વિભાગ માટે નિયત કરેલ ફેમ મંગાવી ભરીને સં. ૨૦૩રના માગસર સુદી ૨ને ગુરુવાર, તા. ૪-૧૨-૭૫ સુધીમાં નીચેના સરનામે મોકલી આપવું.
ત્યારબાદ આવેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. “એક ફાર્મમાં એક પ્રતિમાજી પધરાવવાની માગણી કરવી.
“આવેલ માગણીઓ પિકી પ્રતિષ્ઠા કરાવવાને લાભ કોને પ્રાપ્ત થશે તે વિભાગવાર અલગ અલગ ચિઠ્ઠીઓ નાખી નક્કી કરવામાં આવશે. અને જે ભાગ્યશાળી ભાઈ-બહેનને જે વિભાગના જે ભગવાન બિરાજમાન કરવાનો આદેશ મળશે તેઓએ તે ભગવાનની પ્રતિષ્ઠા કરાવવાની રહેશે.
માગણીનાં ફેમે નીચેના ઠેકાણેથી મળી શકશેઃ“(૧) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, ઝવેરીવાડ, પા. બે ન ૫૧,અમદાવાદ-૧ (૨) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, પાલીતાણા (સૌરાષ્ટ્ર) ઝવેરીવાડ, પટણીની ખડકી, પિ. બે નં. ૫૧, અમદાવાદ. પી. કે. નં. ૩૮૦ ૦૦૧
શેઠ આણંદજી કલ્યાણજી આ વિજ્ઞપ્તિ એ ખરી રીતે આ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય આકાર-પ્રકાર તથા આદેશ આપવાની પદ્ધતિને ખ્યાલ આપતા એક મહત્ત્વના દસ્તાવેજરૂપ બની ગઈ હતી; અને એના લીધે દેશભરના સકલ શ્રીસંઘમાં આ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવાના ઉત્સાહની જાણે પ્રેરણાદાયક હવા પ્રસરી ગઈ હતી.
ચાર વિભાગનાં જિનબિંબની પ્રતિષ્ઠાને લાભ લેવા માટે અરજી કરવાનાં જુદા જુદા ચાર રંગનાં પત્રકે (ફામ) છપાવવામાં આવ્યાં હતાં અને તે, જુદી જુદી વ્યક્તિએની વ્યાપક માગણી મુજબ, દેશભરમાં, સંખ્યાબંધ શહેર અને ગામમાં, હજારની સંખ્યામાં મેકલવામાં આવ્યાં હતાં. આને અંતે પહેલા વિભાગ માટે ૨૧૯૩; બીજા વિભાગ માટે ૨૨૫૮; ત્રીજા વિભાગ માટે ૨૫૩૦; અને ચોથા વિભાગ માટે ૪૮૭૬–એમ કુલ મળીને ૧૧૮૫૭ જેટલાં ફોર્મ ભરાઈને આવ્યાં હતાં, એ ઉપરથી પણ જાણી શકાય છે કે, આ પ્રતિષ્ઠા-મહેસવના આદેશ આપવા માટે પેઢીએ અપનાવેલી નકરાની પદ્ધતિને આખા દેશમાં શ્રીસંઘ તરફથી કેટલે બધે આવકાર મળ્યો હતો, અને એથી સમસ્ત શ્રીસંઘમાં ઉત્સાહ અને ઉલ્લાસ પણ કેટલો બધો જાગી ઊઠયા હતે ! ખરેખર, સકલ શ્રીસંઘને માટે અપૂર્વ હતે આ અવસર અને એણે એને અપૂર્વ કહી શકાય એવી ઉમંગભરી રીતે ઊજવી પણ જાયે હતે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org