SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિષ્ઠા-મહત્સવની પૂર્વભૂમિકા [૨૫] તમારે તા. ૨૬-૩-૬પને પત્ર મળે. હકીકત જાણી. જવાબમાં લખવાનું કે, દેરાસરને મંડોવર શિલ્પની દષ્ટિએ પણ દબાએલો ન હોવો જોઈએ, અને અવ્યવસ્થિત રીતે બેસાડેલ પ્રભુજીને આશાતના ટાળવા માટે ઉત્થાપન કરી સુગ્ય સ્થળે પધરાવવામાં કઈ જાતને દોષ નથી. એટલે શિલ્પને દેષ અને આશાતના ટાળી પ્રભુજીને સુયોગ્ય સ્થળે પધરાવવાની તમારી ભાવના સારી છે.” પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજે પાટણથી (વિ. સં. ૨૦૨૧)ના ફાગણ શુદિ ૪ના પત્રમાં લખ્યું હતું કે પૂ. આ. શ્રી ઉદયસૂરિજી મ.ની સંમતિ હોય એટલે મારી તે સંમતિ છે જ, કારણ કે શિલ્પના વિષયમાં મારી વિશિષ્ટ ઊંડી જાણકારી નથી. મારી તો તમને એક જ ભલામણ છે કે, આ સમગ્ર જૈન સમાજને સ્પર્શતે પ્રશ્ન હોવાથી પ્રતિમાજીને ઉત્થાપના કરવા સિવાય બીજે જે કાંઈ ફેરફાર કરવાનો હોય તેમાં આ વિષયના નિષ્ણાત પૂ. ઉદયસૂરિજી મહારાજની સલાહ લેઈને કરવું તે ઉચિત ગણાશે.” પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી માણેકસાગરસૂરીશ્વરજી મહારાજે કપડવંજથી, (વિ. સં. ૨૦૨૧ના) જેઠ શુદિ ૧૫ના રોજ લખેલ પિતાના પત્રમાં જણાવ્યું હતું કે “શિલ્પની દષ્ટિએ શિખર વગેરેના જે ભાગે દબાયેલા છે, એમ જે જણાવાયા છે, તો તેને ખુલ્લા કરવા તે માટે તે તે ભાગમાંથી જ તે તે પ્રતિમાજી મહારાજ ઉત્થાપન થાય એ જુદી વાત, પણ તે શિલ્પના હિસાબે ખુલ્લું કરવાના મુદ્દાએ જ તે કાર્ય થવું જોઈએ અને તે સિવાય ક્યાં ચલાવી શકાય તેવા ભાગોમાંથી ન ઉઠાવાય તો ઠીક અને ભાવિકના ભાવને વધારે હાનિ ન થાય તે ખ્યાલમાં રાખીને કાર્ય કરવું ઘટે.” પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજે પેઢીની વિનતિન જવાબ આપતાં ફિરોજાબાદથી તા. ૧૪-૨-૬૫ના રોજ લખ્યું હતું કે – “આવી બાબતમાં બે મત હેઈ જ ન શકે. જે પ્રતિમાજીઓની આશાતના થતી હોય તો તે આશાતના દૂર કરવી તે મહાન શાસનસેવા છે. આ વિષયમાં શાસ્ત્રનિષ્ણાત આચાર્યદેવ ૧૦૦૮ શ્રીમદ્દ વિજયસૂરીશ્વરજી મહારાજ સાહેબ પૂર્ણ જાણકાર અનુભવી છે, માટે તેઓશ્રીની સલાહ લેવી યોગ્ય રહેશે. અમારે તો નિશ્ચિત મત છે કે આશાતના દૂર કરવા માટે શ્રી પ્રતિમાજીઓને ઉત્થાપન કરી, જેન શિલ્પશાસ્ત્ર તથા વિશિષ્ટ સ્થાપત્યકલા અનુસાર, સુવ્યવસ્થિત રીતે બિરાજમાન-પુનઃપ્રતિષ્ઠિત-કરાય તે અનુમોદનીય અને અનુકરણીય છે. શ્રી દેરાસરના કણપીઠ તથા મંડેવર વિગેરેના ભાગો, જે દબાઈ ગયા હેય તે, ખુલ્લા કરવાથી શિલ્પના દે દૂર થતા હોય તો તે કરવા જેવું છે, અને થવું જોઈએ.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005597
Book TitleShatrunjay uper thayel Pratishthano Ahewal
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy