SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી [૧૭] થવા ન પામે એટલા માટે પૂરેપૂરી આર્થિક સહાય તથા આત્મીયતાની ભાવનાથી ભરેલી વ્યવહારુ સલાહ-સૂચના પણ આપે છે. - પેઢીએ અપનાવેલી એક બીજી નીતિ કે કાર્ય પદ્ધતિ પણ ધ્યાનમાં લેવા જેવી છે. જૈનોના વસવાટને કારણે જ્યાં નવાં જિનમંદિર બંધાવવાની જરૂર હોય ત્યાં પિઢી એ માટે જરૂરી સહાય આપે છે. અને જીર્ણ થયેલાં પ્રાચીન તીર્થો અને જિનમંદિરના ઉદ્ધાર માટે પૂરતી સહાય આપીને આપણું ધર્મ-સંસ્કારના પોષક પ્રાચીન, અમૂલ્ય, કળામય વારસાને ટકાવી રાખવા એ દૂરંદેશીભર્યો પ્રયત્ન કરે છે. વળી, વિશ્વવિખ્યાત આબુ જેવાં પિતાના વહીવટ બહારનાં તીર્થસ્થાનની સાચવણી માટે લાખો રૂપિયા ખર્ચતાં પણ પેઢી ખમચાતી નથી. પેઢીએ કરાવેલા જીર્ણોદ્ધારની, ઉત્કૃષ્ટ અને નમૂનેદાર જીર્ણોદ્ધારે તરીકે, વાસ્તુવિદ્યાના દેશ-વિદેશના નિષ્ણાતોએ પણ મુક્ત મને પ્રશંસા કરી છે. આ રીતે પેઢીએ, છેલ્લાં પચાસ વર્ષ દરમ્યાન, એના પ્રમુખ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈની રાહબરી નીચે, સાડાપાંચ જેટલાં જિનમંદિરે માટે, આશરે એક કરોડ રૂપિયા જેટલી મોટી રકમ વાપરી છે.. શ્રી સમેતશિખર તીર્થના માલિકી હક્ક પૂર્વ ભારતના મહાતીર્થ શ્રી સમેતશિખરનો વહીવટ તો બીજાઓ સંભાળે છે, પણ જ્યારે એ તીર્થના પહાડની માલિકીના હક્કો ખરીદી લેવાની વાત આવી ત્યારે, એને દસ્તાવેજ પેઢીના નામથી જ, સને ૧૯૧૩માં, કરવામાં આવ્યો હતો. આ બિના શ્રીસંઘ પેઢી ઉપર કેટલો વિશ્વાસ ધરાવે છે, એનું સૂચન કરે છે. પેઢીએ પણ, આ પહાડની માલિકી અંગેના દિગંબર સંઘ તથા બિહાર રાજ્ય સાથેના ઝઘડામાં, આપણા સંઘનું હિત ન જોખમાય એ માટે, અત્યાર સુધી પૂરા જાગ્રત અને પ્રયત્નશીલ રહીને અને પૂરતું ખર્ચ કરીને એ વિશ્વાસને સાચો ઠરાવ્યું છે. વિસ્તૃત કાર્યક્ષેત્ર પિઢીને કારેબાર એક રજવાડા એટલે વિશાળ, વિવિધ પ્રકારના પ્રશ્નોથી ભરેલો અને અટપટે છે. અને છતાં આ બધો કારોબાર, પેઢીને, રજવાડી પદ્ધતિથી નહીં પણ, ધર્મભાવનાનું જતન થાય અને ગૌરવ વધે એવી શાંત અને શેભાભરી રીતે ચલાવવું પડે છે–અહીં જ પેઢીના સંચાલકના ધર્માનુરાગ તથા મહાજનપદની અગ્નિપરીક્ષા થાય છે; અને એમાં તેઓ ક્યારેય નાકામિયાબ થયા હોય એવું બન્યું નથી, એ વાતની ઇતિહાસ સાક્ષી પૂરે છે. પેઢીનું મુખ્ય કામ તીર્થો અને જિનમંદિરની તથા એના માલિકી હકકોની તેમ જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005597
Book TitleShatrunjay uper thayel Pratishthano Ahewal
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy