________________
[૧૬]
પ્રતિષ્ઠાને અહેવાલ પદ, નગરશેઠ શાંતિદાસ ઝવેરીના વંશજના બદલે, પેઢીના વહીવટદાર ટ્રસ્ટીઓ નક્કી કરે એમને આપવાનું ઠરાવવામાં આવ્યું છે અને પેઢીના વહીવટદાર ટ્રસ્ટીઓમાંના એક શેઠ શાંતિદાસ ઝવેરીના વંશજ હોય એ હક્ક એમને આપવામાં આવ્યો છે. આ ફેરફારમાં પેઢીના પ્રમુખ શ્રેષ્ઠીવર્ય કસ્તુરભાઈ લાલભાઈ તથા પેઢીના સંચાલક મહાનુભાવની સમયજ્ઞતા તથા દૂરદેશનું પ્રતિબિંબ પડે છે એ કહેવાની જરૂર નથી.
અન્ય તીર્થોને વહીવટ શરૂઆતમાં પેઢીને કેવળ શ્રી શત્રુંજય તીર્થને જ વહીવટ સંભાળવાને હતે. પણ પેઢીએ શ્રી શત્રુંજય તીર્થને વહીવટ સંભાળવાની તેમ જ જરૂર જણાતાં શ્રીસંઘના તીર્થો વગેરેના હકકોની સાચવણી કરવાની કામગીરી એવી સંતોષકારક રીતે સંભાળી કે જેથી શ્રીસંઘમાં એની ખૂબ નામના અને પ્રતિષ્ઠા થઈ. અને એના પરિણામે, છેલ્લાં એંશી વર્ષ દરમ્યાન, નીચે જણાવેલ આઠ તીર્થસ્થાનોનો વહીવટ, જે તે તીર્થના કાર્યવાહકેએ, પેઢીને સુપરત કરી દીધો
(૧) શ્રી રાણકપુર-સાદડી તીર્થ, વિ. સં. ૧૦૫૩માં. (૨) શ્રી જૂનાગઢ-ગિરનાર તીર્થ, વિ. સં. ૧૯૩માં. (૩) શ્રી કુંભારિયા તીથ, વિ. સં. ૧૯૭૭માં. (૪) શ્રી તારંગા તીર્થ, વિ. સં. ૧૯૭૭માં. (૫) શ્રી મક્ષીજી તીર્થ, વિ. સં. ૧૯૭૭માં. (૬) શ્રી શેરિસા તીર્થ, વિ. સં. ૧૯૮૪માં. (૭) શ્રી મૂછાળા મહાવીર તીર્થ, વિ. સં. ૨૦૨૦ માં (૮) શ્રી ચિત્તોડગઢ ઉપરનાં જિનમંદિર, વિ. સં. ૨૦૨૪માં
આ હકીકત ઉપરથી જોઈ શકાય છે કે વિ. સં. ૧૯૭૭ની એક જ સાલમાં કુંભારિયાજી, મક્ષીજી તથા તારંગા એમ ત્રણ તીર્થોને વહીવટ પેઢીને સોંપવામાં આવ્યા હતો. આ ઉપરાંત અમદાવાદ શહેરનાં કેટલાંક જિનમંદિરોને વહીવટ પણ પેઢી સંભાળે છે.
પેઢીએ નક્કી કરેલી નીતિ આ પછી પણ કઈ કઈ તીર્થ કે જિનમંદિરને વહીવટ સંભાળી લેવાની માગણી અવારનવાર પેઢી પાસે આવતી રહે છે. પણ પેઢીના સંચાલકે આવા પ્રસંગોએ, શાણપણ અને દીર્ધદષ્ટિ દાખવીને, પેઢીના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરવાની લાલચથી દૂર રહે છે. અને છતાં આવી જરૂરિયાતવાળા કઈ પણ તીર્થ કે જિનમંદિરના હિતને જરા પણ નુકસાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org