SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪] પ્રતિષ્ઠાને અહેવાલ કરાવ્યુંતે પછી કેટલાક દાયકા બાદ, આ તીર્થને વહીવટ, તે વખતના ગુજરાતના પાટનગર અમદાવાદ શહેરના જૈન સંઘના હાથમાં આવી ગયે હોવું જોઈએ. તે વખતના કેવળ અમદાવાદના જૈન સંઘના જ નહીં પણ સમસ્ત શ્રીસંઘના એક બાહોશ, વગદાર, ધર્મનિષ્ઠ, પ્રભાવશાળી અને સમર્થ માવડી નગરશેઠ શ્રેષ્ઠીવર્ય શાંતિદાસ ઝવેરીની રાહબરી નિચે આ તીર્થને વહીવટ સુવ્યવસ્થિત થયાની વાતની સાક્ષી એમણે, અમદાવાદના, ઓસવાળ વંશના બે ભાઈઓ શ્રેષ્ઠ રતન અને શ્રેષ્ઠી સૂરાને સાથે રાખીને, વિ. સં. ૧૭૦૭ની સાલમાં, પાલીતાણાના દરબાર ગોહેલ કાંધાજી સાથે જૈન સંઘની વતી, શ્રી શત્રુંજય મહાતીર્થ અને એના યાત્રિકે ના રખોપાને સૌથી પહેલા કરાર કર્યો હતો, એ બીન પણ પૂરે છે. ઢિીની પ્રાચીનતા આ પછી આ તીર્થને વહીવટ ઉત્તરોત્તર અમદાવાદના શ્રીસંઘના હાથમાં સ્થિર અને વ્યવસ્થિત થતે ગયે. અને, સમય જતાં, એ વહીવટ, ભારતભરના સમસ્ત શ્રીસંઘની વતી, અમદાવાદમાં રહેલી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના નામથી થવા લાગે. સમસ્ત જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રીસંઘનું પ્રતિનિધિત્વ ધરાવતી આ પેઢીનું નામકરણ કોણે, ક્યારે અને ક્યાં કર્યું હશે, એની આધારભૂત માહિતી તે ઉપલબ્ધ થતી નથી; પણ શ્રી શત્રુંજય તીર્થના, વિ. સં. ૧૭૮૭ ની સાલના એક ચેપડામાં “શ્રી આણંદજી કલ્યાણજી, રાજનગર”ના નામનું ખાતું મળે છે, તેથી બે વાત જાણી શકાય છે. પહેલી વાત એ કે શરૂઆતમાં અમદાવાદના શ્રીસંઘની પેઢીનું નામ આણંદજી કલ્યાણજી રાખવામાં આવ્યું હશે; અને, બીજી વાત એ કે, આગળ જતાં, શ્રી શત્રુંજય તીર્થને કારોબાર પણ આ પેઢીના નામથી ચાલુ કરવામાં આવ્યું હશે; અને એ રીતે આ પેઢીને સમસ્ત શ્રીસંઘના પ્રતિનિધિ બનવાનું ગૌરવ મળ્યું હશે. આપણું શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું નામ કેટલું બધું કપ્રિય બન્યું છે, તે એ હકીકત ઉપરથી પણ જાણી શકાય છે કે, ગુજરાત-સૌરાષ્ટ્રનાં એવાં પણ કેટલાંક શહેર છે કે જ્યાંના શ્રીસંઘની પેઢીનું નામ આણંદજી કલ્યાણજી રાખવામાં આવ્યું છે અને છતાં એ અમદાવાદ-પાલીતાણાની આ જ નામની પેઢી સાથે સંકળાયેલ નથી. પેઢીનું આ નામ કઈ વ્યક્તિ-વિશેષના નામ ઉપરથી નહીં પણ “આણંદ” અને “કલ્યાણ જેવા બે મંગલસૂચક શબ્દોના જોડાણથી પાડવામાં આવ્યું છે તે સુવિદિત છે. શ્રીસંઘનું નામ અને કામ તે હંમેશા આનંદ અને કલ્યાણને જ કરનારું હોય, એ એને ભાવ છે. પાલીતાણાના ચેપડામાં મળતા ઉપર્યુક્ત ઉલ્લેખ ઉપરથી બીજી વાત એ જાણવા મળે છે કે, આ પેઢી વિ. સં. ૧૭૮૭ પહેલાં ગમે ત્યારે સ્થપાયેલી હોવી જોઈએ; એટલે એ આશરે અઢી વર્ષ જેટલી જૂની તે છે જ; કદાચ એને એનાથી પણ કેટલીક વધુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005597
Book TitleShatrunjay uper thayel Pratishthano Ahewal
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy