________________
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી
* ગિરિરાજ શ્રી શત્રુંજયના આશરે ચાર વર્ષ પહેલાંના વહીવટ સંબંધી જે છૂટીછવાઈ અને આછી-પાતળી વિગતે મળે છે, તે ઉપરથી કંઈક એવું તારણ નીકળી શકે છે કે, જે વખતે જે શહેર ગુજરાતનું પાટનગર હોવાનું ગૌરવ ધરાવતું હતું, મોટે ભાગે એ શહેરને શ્રીસંઘ શ્રી શત્રુંજય તીર્થને વહીવટ સંભાળવાની જવાબદારી વહન કરતો હતો. અને આ તીર્થનો વહીવટ સંભાળવો એ મોટા પુણ્યનું તથા ગૌરવનું નિમિત્ત લેખાતું હતું, એટલે જેમના ઉપર આ જવાબદારી આવી પડતી હતી, તેઓ ખૂબ ઉલ્લાસથી એને પૂરી કરતા હતા.
પાટણ અને ધૂળકાના સંઘને વહીવટ આ રીતે સોલંકી કાળમાં શ્રી શત્રુંજય તીર્થને વહીવટ તે વખતના ગુજરાતના પાટનગર અણહિલવાડ પાટણના સંઘના હાથમાં હતું. જ્યારે વાઘેલા રાજ્યશાસનમાંમંત્રીધર વસ્તુપાળ-તેજપાળના સમયમાં–પાટણના બદલે ધવલક્કપુર (વર્તમાન ધોળકા) ગુજરાતની રાજધાની બન્યું ત્યારે, આ મહાતીર્થને વહીવટ ધોળકાના સંઘે-ખાસ કરીને મંત્રી વસ્તુપાલ-તેજપાલની બંધુબેલડીએ-સંભાળ્યું હોય એ અણસાર સાહિત્યમાંથી (પુરાતન પ્રબંધ સંગ્રહ, પૃ. ૬૪માં સચવાયેલ એક કથા ઉપરથી) મળે છે.
ફરી પાછો પાટણ સંઘને તથા ત્રણ શહેરને વહીવટ ત્યાર પછી વળી પાછી ગુજરાતની રાજધાની ધૂળકાના બદલે પાટણમાં ફેરવાઈ એટલે, સ્વાભાવિક રીતે જ, આ તીર્થને વહીવટ પણ પાટણના સંઘના હાથમાં ગયા. પણ આવી સ્થિતિ શ્રેષ્ઠી સમરાશા ઓસવાળે વિ. સં. ૧૩૭૧ માં કરાવેલ શ્રી શત્રુંજય તીર્થના પંદરમો ઉદ્ધાર પછી થોડાક દાયકાઓ સુધી જ ચાલુ રહી હતી. અને, ત્યાર પછીના અરાજક્તાના સમયમાં, પાટનગર પાટણની અને એના જૈન સંઘની સ્થિતિ ડામાડોળ અને નબળી થઈ ત્યારે, આચાર્ય શ્રી વિજયરાજસૂરિજીની સલાહ પ્રમાણે, શ્રી શત્રુંજય તીર્થને વહીવટ સંભાળવાની જવાબદારી પાટણ, ખંભાત અને રાધનપુરના સંઘોના મોવડી ઓએ સંયુક્તપણે સ્વીકારી હતી.
અમદાવાદના શ્રીસંઘને વહીવટ આવી સ્થિતિ કેટલાં વર્ષ ચાલુ રહી એની ચોક્કસ વિગતે મળતી નથી, પણ એટલું લાગે છે કે, શ્રેષ્ઠી કર્મશાએ શ્રી શત્રુંજય તીર્થને સોળમો જીર્ણોદ્ધાર વિ. સં. ૧૫૮૭માં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org