________________
તીર્થાધિરાજ શ્રી શેત્રુજય
[૧૧] ઊંડી ખાઈનું પૂરણ કરીને એના ઉપર શ્રી મોતીશા શેઠની વિશાળ નવમી ટ્રકની રચના થઈ, તે પણ આ સમય દરમ્યાન જ. જાણે ત્રણ-ચાર વર્ષનો આ સમય શ્રી શત્રુંજય તીર્થને માટે વધુ ને વધુ વિકાસના પ્રસંગે લઈને જ આવ્યો હતો ? આ વાતની પ્રતીતિ નવ ટ્રકની સ્થાપનાના સમયને લગતી નીચેની માહિતી ઉપરથી પણ થઈ શકે છે–
(૧) સવા સમાની અથવા ચૌમુખજીની ટ્રક, વિ. સં. ૧૬૭૫ (બીજી ટૂક). (૨) છીપાવલીની ટૂક, વિ. સં. ૧૭૯૧ (ત્રીજી ટૂક). (૩) પ્રેમવસી–પ્રેમચંદ મેદીની ટ્રક, ૧૮૪૩ (સાતમી ટૂક). (૪) હેમવસી-હેમાભાઈ શેઠની ટ્રક, વિ. સં. ૧૮૮૬ (છઠ્ઠી ટ્રક). (૫) ઉજમફઈની ટ્રક, વિ. સં. ૧૮૯૩ (પાંચમી ટૂક). (૬) સાકરવસી-સાકરચંદ પ્રેમચંદની ટૂક, વિ. સં. ૧૮૦૩ (ચેથી ટૂક). (૭) બાલાસી–બાલાભાઈની ટૂક, વિ. સં. ૧૮૯૩ (આઠમી ટૂક). (૮) મેતીશાની ટૂક, વિ. સં. ૧૮૯૯ (નવમી ટૂક). (૯) નરશી કેશવજીની ટૂક, વિ. સં. ૧૨૧ (પહેલી ટૂક).
આ માહિતી ઉપરથી જોઈ શકાય છે કે શ્રી શત્રુંજય પહાડના બીજા શિખર ઉપર સૌથી પહેલાં, વિ. સં. ૧૬૭૫ ની સાલમાં, સવા સમાની ટૂકના ગગનચુંબી ચેમુખ જિનપ્રાસાદની રચના થઈ હતી, જે ટ્રકની યાત્રાના ક્રમમાં બીજી ટૂક ગણાય છે. અને સૌથી છેલ્લે, સવા સોમાની ટૂક પછી ૨૪૬ વષે, વિ. સં. ૧૯૨૧ ની સાલમાં, શેઠ નરશી કેશવજીની ટ્રેકની સ્થાપના થઈ હતી. ટ્રકની યાત્રાના ક્રમ પ્રમાણે આ ટૂક પહેલી આવે છે. વળી, વિ. સં. ૧૮૯૩ના એક જ વર્ષમાં, શ્રી મતીશા શેઠની ટ્રક સહિત, કુલ ચાર ટ્રકની સ્થાપના થઈ હતી. ટ્રકને લગતી આ બીના પણ આ તીર્થ ઉપરની શ્રીસંઘની ગાઢ ભક્તિને અને શ્રી શત્રુંજય તીર્થ ઉપર નાનું-મોટું જિનમંદિર બંધાવવાને અથવા છેવટે ગિરિરાજ ઉપરના કોઈ પણ દેરાસરમાં જિનબિંબ પધરાવવાને શ્રીસંઘમાં કેટલું બધું મહિમા છે, એ વાતનો ખ્યાલ આપે છે. ગિરિરાજની આ વિકાસકથા ખરેખર, અદ્દભુત છે.
- જિનમંદિર રચવાની કે જિનબિંબ પધરાવવાની ઉત્કટ ભાવના
આ મહિમાને કારણે અનેક ધર્માત્મા ભાઈઓ-બહેનોને આ ગિરિરાજ ઉપર, અને વિશેષ કરીને દાદાની મુખ્ય ટૂંકમાં, દેરાસર કે નાની સરખી દેરી પણ બંધાવીને એની પ્રતિષ્ઠા કરાવવાની ભાવના રહેતી હતી. આને લીધે, એક કાળે, પરિસ્થિતિ એવી ઊભી થઈ કે દાદાની ટૂંકમાં, હાથી પિળમાં, નવું દેરાસર બનાવવા માટે ખાલી જગ્યાનો લગભગ અભાવ થઈ ગયે; અને છતાં આ માટેની માગણી તો ચાલુ જ હતી. તેથી, હાથી પિળને વધારે ઘીચ થતી રોકવા માટે, જુદાં જુદાં સ્થાને ના જૈન સંઘએ, પાલીતાણા શહેરમાં એકત્ર થઈને, વિ. સં. ૧૮૯૭ના ચિત્રી પૂનમના પર્વ વખતે, એવો ઠરાવ કર્યો કે હવેથી કેઈએ હાથી પિોળમાં નવું દેરાસર બંધાવવું નહીં; અને જે વ્યક્તિ આ નિયમને ભંગ કરશે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org