________________
[૮]
પ્રતિષ્ઠાને અહેવાલ ભારે આસ્થા ધરાવતું હતુંપણ એ વખતે એના ઉપર વધારે જિનમંદિર ન હતાં. “પ્રબંધચિંતામણિમાં સચવાયેલ એક કથા (શ્રી શત્રુદ્ધારપ્રબંધ) ઉપરથી જાણવા મળે છે કે, ગૂર્જર સમ્રાટ મહારાજા કુમારપાળદેવ, કવિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય અને મહામંત્રી ઉદયના સમયમાં શ્રી શત્રુંજય તીર્થ ઉપરનું મુખ્ય જિનમંદિર લાકડાનું બનેલું હતું. મંત્રીશ્વર ઉદયન, રાજકાજમાંથી નિવૃત્ત થયા પછી પણ, પિતાની પાછલી જિંદગીમાં, એક વાર સેનાનાયક બનીને એક યુદ્ધમાં જતા હતા. તે વખતે, યુદ્ધમાં જતાં અગાઉ, તેઓ શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ ગયા હતા. ત્યાં એમણે જોયું કે એક ઉંદર, દીવામાંથી સળગતી દીવેટને ખેંચી લઈને, જિનમંદિરના એક દરમાં પિસી ગયે. એ જોઈને મંત્રીશ્વરનું મન ચિંતિત બની ગયું. એમને થયું, ભગવાન ન કરે, પણ ઉદરની આવી રમતથી ક્યારેક આવું લાકડાનું જિનમંદિર આગથી ભસ્મીભૂત થઈ જાય છે કે અનર્થ થાય! ભવિષ્યમાં આવા ભયને અવકાશ ન રહે એટલા માટે મંત્રીશ્વરે એ વખતે જ પ્રતિજ્ઞા કરી કે, જ્યાં સુધી આ દેવમંદિર પાષાણનું ન બને ત્યાં સુધી મારે હંમેશને માટે એકાશનનું તપ કરવું. પણ, યુદ્ધમાં ખપી જવાને કારણે, ઉદયન મંત્રી પોતે તો પોતાની આ પ્રતિજ્ઞા પૂરી ન કરી શક્યા, પણ એમના પિતૃભક્ત, ધર્મભક્ત અને રાજ્યભક્ત સુપુત્ર બાહડ મંત્રીએ, પિતાના પિતાશ્રીની ભાવના પૂરી કરવા,શ્રી શત્રુંજયના મુખ્ય મંદિરને પાષાણુનું બનાવરાવ્યું અને વિ. સં. ૧૨૧૩માં એની પ્રતિષ્ઠા કરી. આ પ્રસંગ ગિરિરાજ શ્રી શત્રુંજય તીર્થના ઇતિહાસમાં ચૌદમા ઉદ્ધાર તરીકે અમર બની ગયે. આ પછી આ પહાડ ઉપર, વાઘેલા રાજ્યશાસનમાં, મહામંત્રી વસ્તુપાળ-તેજપાળના સમયમાં, અને તે પછીના વખતમાં પણ નવાં નવાં દેવમંદિર બંધાવા લાગ્યાં અને તીર્થની શિલ્પકળાની શોભામાં ક્રમે ક્રમે વધારે થવા લાગે. પણ જિનમંદિરને આ વધારે, મોટે ભાગે, દાદાના મુખ્ય દેરાસરવાળા (દાદાની ટૂકના) શિખર ઉપર જ થયે હતે.
પણ કમનસીબે, આ વધારે એકધારે ચાલુ ન રહી શક્યા અને ૧૪મા સિકાના ઉત્તરાર્ધમાં, વિ. સં. ૧૩૬માં, તીર્થ ઉપર થયેલ મુસલમાનોના આક્રમણને લીધે, તીર્થનાં મંદિર અને મૂર્તિઓ ખંડિત થયાં અને તીર્થ ઘણું મોટા સંકટમાં આવી પડયું. આવા ભારે મુસીબતના સમયમાં, પાટણના શ્રેષ્ઠી દેશળશાના વગદાર અને બાહોશ સુપુત્ર સમરાશા એસવાળે આ તીર્થને ઉદ્ધાર કરાવીને એની પુનઃ પ્રતિષ્ઠા કરાવવાનું બીડું ઝડપ્યું. અને એ કાર્ય એમણે બે વર્ષ જેટલા ટૂંકા સમયમાં જ સફળતાપૂર્વક પૂરું કરાવીને વિ. સં. ૧૩૭૧માં એની પ્રતિષ્ઠા કરાવી, જે ૧૫મા ઉદ્ધાર તરીકે યાદગાર બની ગઈ
ત્રીજો તબક્કો આ પછી બે સૈકા બાદ, વિક્રમની સોળમી સદીના ઉત્તરાર્ધમાં, મુસ્લિમોના હુમલાને કારણે, આ તીર્થ વળી પાછું ખંડિત થયું. આ વખતે ચિત્તોડગઢના મંત્રી સ્વનામધન્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org