SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિષ્ઠાને અહેવાલ શ્રીસંઘની અસાધારણ ભક્તિ - શ્રી શત્રુંજય તીર્થ ઉપરની જૈન સંઘની શ્રદ્ધા-ભક્તિ કેટલી અસાધારણ અને ઉત્કટ છે, એની સાક્ષી એ પર્વત ઉપર ઉત્તરોત્તર વધતાં રહેલાં નાનાં-મોટાં જિનમંદિરે તથા એમાં બિરાજમાન કરવામાં આવેલ જિનપ્રતિમાઓની સંખ્યા પણ પૂરે છે. અત્યાર સુધીમાં એના ઉપર રચાયેલ નાનાં-મોટાં આશરે એક હજાર જેટલાં દેરાસર તથા દેરીએ આ તીર્થને મંદિરોની નગરી” તરીકેનું ગૌરવ અપાવે છે; અને એમાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલ પાષાણુ તથા ધાતુની આશરે અગિયાર હજાર જેટલી જિનપ્રતિમાઓ દેશના દૂર-સુદૂરના તથા નજીકના હજારે ભાવિક યાત્રિકોને પોતાની તરફ આકર્ષે છે. આ જિનમંદિરોમાંનાં કેટલાંક જિનમંદિરે, જેમ ગગનચુંબી છે તેમ, શિલ્પ-સ્થાપત્ય-કલાના ઉત્તમ નમૂના સમાં - પણ છે. આ અપૂર્વ અને બેનમૂન છે. આ તીર્થની શિલ્પ-સ્થાપત્ય-કલાને વૈભવ. આવા જાહોજલાલ તીર્થનાં દર્શન-વંદન-પૂજન કરતા યાત્રિકના અંતરમાં, જેમ શ્રદ્ધા-ભક્તિની પુનિત ભાગીરથી વહેવા લાગે છે તેમ, આવાં દેવવિમાન જેવાં દિવ્ય, ભવ્ય અને રળિયામણાં દેવમંદિરની રચના કરવાની પ્રેરણું આપનાર શ્રમણ ભગવંતો તથા એની રચના કરાવનાર ધર્માનુરાગી શ્રાવકરને અને શ્રાવિકારોની શાસનપ્રભાવના માટેની સમર્પણભાવની, તમન્ના તથા ઉદારતા આગળ એનું શિર ઝુકી જાય છે. - આ ગિરિતીર્થ એક પ્રાચીન અને પરમ પવિત્ર તીર્થસ્થાન તરીકે વિકાસ કરતું (કતું, સમયના વહેવા સાથે, શિલ્પ-સ્થાપત્યની કળાને મહાભંડાર અને “મંદિરનું નગર” બની ગયું, એની વિકાસકથા પણ ધર્મભાવનાની પ્રેરક બને એવી અને જાણવા જેવી છે. વિકાસના ત્રણ તબક્કા આ મહાતીર્થને ઉત્તરોત્તર જે ઉત્કર્ષ થતો રહ્યો છે, એની વિગતને સમગ્ર રીતે વિચારીએ તે, આ તીર્થને વિકાસ ત્રણ તબકકે થયે હેય, એવું કંઈક ચિત્ર આપણને જોવા મળે છે. આમાંને પહેલા તબકો તે છેક અતિપ્રાચીન સમયથી લઈને તે ગૂર્જરભૂમિમાં સેલંકી એટલે કે ચૌલુક્ય વંશના રાજશાસનની શરૂઆત થઈ ત્યાં સુધી સમય. બીજો તબક્કો એટલે ગુજરાતના ઇતિહાસના સુવર્ણકાળ સમા ચૌલુક્યયુગથી શરૂ થઈને અને વાઘેલા - વંશથી આગળ વધીને મુસલમાનના રાજશાસનના પ્રારભ સુધી વિસ્તરત સમય. અને ત્રીજો તબક્કો તે મુસલમાને તથા મેગલ શાસકેની ચડતી-પડતીથી શરૂ થઈને અંગ્રેજોની હકૂમત દરમ્યાન થયેલ તેમ જ સ્વરાજ્યની પ્રાપ્તિ પછી પણ ચાલુ રહેલ વિકાસને સમય. પહેલે તબકો આમાંને પહેલો તબક્કો પ્રાચીનતમ પ્રાગૈતિહાસિક સમયથી શરૂ થઈને આશરે વિક્રમના દસમા અગિયારમા સૈકા જેવા એતિહાસિક સમયને સ્પર્શે છે. અત્યાર સુધીમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005597
Book TitleShatrunjay uper thayel Pratishthano Ahewal
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy