SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ [૫] તીર્થાધિરાજ શ્રી શત્રુજ્ય ભગવાન ઋષભદેવનું તીર્થ આ તીર્થ ભગવાન ઋષભદેવના તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. ભગવાન ઋષભદેવ કાળચક્રના વર્તમાન અવસર્પિણી કાળના પ્રથમ તીર્થકર હતા. સંક્રાંતિકાળના અથવા યુગપલટાના મહાગ્રંઝાવાતના પ્રવર્તનને કારણે દિશાશૂન્ય બનેલ યુગલિક માનવજાતને જીવન જીવવાની રીત ભગવાન ઋષભદેવે (કુમાર ઋષભે) બતાવી હતી, તેથી તેઓ સંસ્કૃતિના આદિ સર્જક તરીકે પરમ ઉપકારી પુરુષ લેખાય છે અને પ્રથમ રાજા, પ્રથમ ત્યાગી અને પ્રથમ તીર્થકાર તરીકે એમને અસાધારણ મહિમા આ પ્રમાણે ગવાય છે– आदिम' पृथिवीनाथमादिम निष्परिग्रहम् । आदिम तीर्थनाथ' च, ऋषभस्वामिन स्तुमः। –કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય આ આદિદેવ ભગવાન ઋષભદેવ શ્રી શત્રુંજય પર્વત ઉપર સમવસર્યા હતા અને એ ગિરિવર એમની ચરણરજથી પાવન થયે હતું : શ્રી શત્રુંજય તીર્થની પ્રાચીનતા અને પવિત્રતાના પાયામાં આ ઘટના રહેલી છે. ભગવાન ઋષભદેવના પ્રથમ ગણધર પુંડરીકસ્વામી આ મહાતીર્થ ઉપર જ નિર્વાણ પામ્યા હતા; એ ધર્મપ્રસંગને કારણે આ તીર્થનું એક નામ પુંડરીકગિરિ પ્રસિદ્ધ થયેલું છે, એટલું જ નહીં પણ, એમની પ્રતિમાઓ પણ અહીં પધરાવવામાં આવી છે. જૈન પરંપરા પ્રમાણે, મહાભારતના યુદ્ધથી કંટાળીને અને વૈરાગ્ય પામીને, પાંડેએ પણ આ ગિરિરાજ ઉપર જ આત્મકલ્યાણ સાધ્યું હતું. આ તે ઈતિહાસ-યુગ પહેલાંના દૂર-દૂરના સમયની વાત થઈ; પણ ઈતિહાસ-યુગના પણ સંખ્યાબંધ ગૌરવભર્યા પ્રસંગે આ તીર્થ સાથે જોડાયેલા છે. શાસનપ્રભાવક આચાર્યપ્રવર શ્રી પાદલિપ્તસૂરિ, ગૂર્જર સમ્રાટ કુમારપાળના પ્રતિબંધક કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય, સમ્રાટ અકબરના પ્રતિબોધક જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરિજી, તીર્થ પ્રભાવક આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજી જેવા અનેકાનેક આચાર્યોની ચરણરજથી આ સ્થાન પવિત્ર થયેલ છે. વર્તમાન સમયમાં સેંકડો સાધુમુનિરાજે તથા સાધ્વીજી મહારાજે તેમ જ હજારે ધર્મનિષ્ઠ ભાઈઓ-બહેને એના નામસ્મરણથી પિતાના આત્માને પવિત્ર કરે છે. અને જૈન કુળમાં જન્મ ધારણ કરનાર વ્યક્તિ પોતાના જીવનમાં એકાદ વાર પણ આ તીર્થની યાત્રા કરવાનો અવસર પિતાને મળે, એવી ઝંખના સેવતી હોય છે. આ તીર્થાધિરાજ ઉપરની જૈન સંઘની શ્રદ્ધા-ભક્તિ ખરેખર, અનન્ય છે. કઈ કઈ પ્રદેશના જેન વ્યાપારીઓ પોતાના ચોપડામાં જેમ “ધના-શાલિભદ્રની ઋદ્ધિ હે” એમ લખે છે, તેમ “શ્રી શત્રુંજયતીર્થની યાત્રા હો” એમ પણ લખે છે. આ બાબત પણ શ્રીસંઘની આ તીર્થ ઉપરની ઊંડી ભક્તિનું જ સૂચન કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005597
Book TitleShatrunjay uper thayel Pratishthano Ahewal
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy