________________
પ્રતિષ્ઠાને અહેવાલ તીર્થસ્થાનેને વ્યાપક મહિમા માનવસમૂહનું સંસ્કાર ઘડતર કરવામાં જેમ પર્વદિવસે, ક્રિયાકાંડ, તપ-જપ, ધર્માનુષ્ઠાને, ધ્યાન, દાન, પૂજા-ભક્તિ જેવા આચારધર્મો મહત્ત્વનો ભાગ ભજવે છે, તેમ એમાં તીર્થયાત્રા પણ ઘણું મહત્ત્વનો ફાળો આપે છે. તેથી એ પણ આચારધર્મનું એક અંગ જ છે. એટલા માટે જ બધી ધર્મસંસ્કૃતિઓમાં તીર્થધામનો મહિમા સ્વીકારવામાં આવ્યા છે, અને જનસમુદાયને જીવનશુદ્ધિ માટે ધર્મપુરુષાર્થ કરવાનું પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવું એ એને હેતુ છે. જેનાથી તરી શકાય-દુઃખ-કલેશમય સંસારસમુદ્રને પાર કરી શકાય-અથવા જે તારે, તે તીર્થ : “તીર્થ” શબ્દને આ ભાવ સુવિદિત છે.
શ્રી શત્રુંજય તીર્થને અપાર મહિમા આવાં તીર્થસ્થાનમાં ગિરિતીને પણ સમાવેશ થાય છે, અને એને મહિમા કંઈક ઔર હોય છે. જેન સંઘનું શ્રી શત્રુંજય તીર્થ આવું જ એક વિશિષ્ટ મહિમાવંતુ ગિરિતીર્થ છે અને મહાતીર્થ અને તીર્થાધિરાજ તરીકે એનું ગૌરવ-ગાન કરવામાં આવે છે. આત્માની શુદ્ધિને અને જીવનના વિકાસને રૂંધી રહેલાં કર્મો, કષાય અને દેશે જેવા આંતરિક શત્રુઓ ઉપર જય મેળવવાનો પ્રયત્ન કરવાની પ્રેરણા આપીને એ માનવીને મોક્ષ-પુરુષાર્થની દિશામાં દોરી જાય છે. આ મહાગિરિનું શરણ સ્વીકારીને ભૂતકાળમાં અગણિત આત્માઓ મોક્ષના એટલે કે સિદ્ધપદના અધિકારી અથવા મોક્ષમાર્ગના યાત્રિક બન્યા છે અને અત્યારે પણ બની રહ્યા છે. એટલા માટે જ એને સિદ્ધગિરિ અને સિદ્ધાચલ જેવાં નામથી પણ બિરદાવવામાં આવે છે, અને તે સાર્થક છે. આ તીર્થ જેટલું પવિત્ર છે, એટલું જ પ્રાચીન છે, અને તેથી જૈન સંઘમાં, “એ સમ તીરથ ન કેય”—એની તોલે આવી શકે એવું બીજુ કઈ તીર્થ નથી-એમ કહીને, એને અપરંપાર મહિમા વર્ણવવામાં આવ્યો
વળી, જૈનધર્મમાં પર્વતિથિઓના નિમિત્ત-૫ર્વ તિથિ અને સ્વરૂપ-પર્વતિથિ એવા બે પ્રકાર વર્ણવવામાં આવ્યા છે, તેમ તીર્થસ્થાને પણ આ બે પ્રકારનાં માનવામાં આવ્યાં છે. તીર્થકર ભગવંતના કલ્યાણકની તિથિએ નિમિત્ત-પર્વતિથિઓ ગણાય છે. અને ચતુષ્પવી (બે ચૌદશ, પૂનમ અને અમાવાસ્યા) એ સ્વરૂપ-પર્વતિથિ ગણાય છે. એ જ રીતે જ્યાં જ્યાં તીર્થંકરનાં વ્યવન, જન્મ, નિર્વાણુ વગેરે કલ્યાણક થયાં છે, તે ક્ષત્રિયકુંડ, પાવાપુરી વગેરે સ્થાને નિમિત્ત-તીર્થસ્થાને કહેવાય છે, અને જેને આણુએ અણુ પવિત્ર માનવામાં આવે છે, તે શ્રી શત્રુંજય ગિરિરાજ સ્વરૂપ-તીર્થ ગણાય છે. એટલા માટે જ કવિવર ઋષભદાસે નીચેના દુહામાં વર્ણવેલ આ તીર્થાધિરાજને પ્રભાવ બિલકુલ યથાર્થ છે –
એકેક ડગલું ભરે, શેત્રુજા સામું જેહ; “ઋષભ” કહે ભવ કોડનાં, કર્મ અપાવે તેહ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org