________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય - સંસારમાં જીવ માત્ર અનિત્ય અને અશરણ છે, આ વસ્તુસ્થિતિના ભંને માનવીને કર્તવ્ય, ત્યાગ, વિવેક, સંયમ અને સંસ્કાર તરફ પ્રેર્યો છે; અને એમાંથી વિચાર અને આચારની પરંપરા પ્રગટ થઈ છે અને જીવનમાં દઢમૂળ બની છે. સદ્દવિચાર એટલે કે નિર્મળ અધ્યવસાય એ ધર્મનું તથા બધી સપ્રવૃત્તિનું મૂળ છે; અને સદ્દવિચારને ટકાવી સખવા અને જીવન સાથે ઓતપ્રોત બનાવવા માટે આચાર પણ એટલું જ મહત્ત્વનો છે; અથૉત્ જેમ પાત્ર વગર વસ્તુ રહી શકતી નથી, તેમ આચાર વિના ધર્મ ગ્રાહ્ય બની શક્ત નથી. ટૂંકમાં, વિચાર એટલે જ્ઞાન અને આચાર એટલે ક્રિયા, એ બનેને સુમેળ થાય. ધર્મસાધનામાં આગળ વધી શકાય છે. ક્રિયા વગરનું એકલું જ્ઞાન પાંગળું છે અને જ્ઞાનેસાચી સમજણ વિનાની ક્રિયા અંધ છે. એટલે એ બેમાંથી એક ઉપર વધારે ભાર આપવાથી અને બીજાની ઉપેક્ષા કે ગૌણતા કરવાથી સાધ્યની સિદ્ધિ થઈ શકતી નથી. એટલા માટે જ શાસ્ત્રકારો અને સાધકોએ કહેલ “તાનશિયાખ્યાં મોક્ષ” એ સૂત્ર ખૂબ મહત્ત્વનું અને આત્મસાધનાના મૂળનું સૂચન કરનારું છે.
' ..!! વિચારશુદ્ધિ એ આચારશુદ્ધિનો પાવે છે, અને જેમ જેમ આચારશુદ્ધિની દિશામાં પ્રગતિ થતી જાય છે, તેમ તેમ વિચારશુદ્ધિમાં પણ સાધક આગળ વધતું જાય છે. એટલે, આગળ જતાં, આ બંને શુદ્ધિઓ એકબીજાની પ્રેરક અને પૂરક બની જઈને સાધકને જીવનશુદ્ધિની દિશામાં દોરી જાય છે. છેઆ વિચારશુદ્ધિ અને આચારશુદ્ધિમાં, જેમ બીજાં બીજા નિમિત્તોનો ફાળો હોય છે તેમ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. . , - કાળચક્રના આરામાં સુષમા અને દુષમાના વિભાગોનું સૂચન કરતાં નામે આરાધના માટે જવામાં આવેલ પર્વદિવસે, જીવની વિચારસરણી ઉપર અસર કરતી સત્યયુગ અને 1 કલિયુગની માન્યતાઓ–આ બધાં કાળના પ્રભાવનું સૂચન કરે છે. એ જ રીતે કુરુક્ષેત્રના રણાંગણની ભૂમિ, પવિત્ર તીર્થસ્થાન વગેરે ક્ષેત્રને પ્રભાવ સૂચવે છે. સામાન્ય રીતે કરક્ષેત્રમાંથી પસાર થતા માનવીના હૃદયમાં દ્વેષ, ક્રોધ, ઈર્ષા, કલેશ જેવી તીવ્ર લાગણીઓ જાગી ઊઠે છે; અને જ્યારે એ જ માનવી તીર્થભૂમિ જેવા પવિત્ર સ્થાનમાં જાય છે, ત્યારે એની વિચારસરણ પલટા લઈને શાંતિ અને કલ્યાણભાવના તરફ વળે છે. મોટા ભાગના જનસમૂહને સ્થળ-કાળના પ્રભાવનો આવો અનુભવ થતો હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org