________________ (174] પ્રતિષ્ઠાને અહેવાલ ત્વરિતગતિશીલ પરિણામદર્શી મહેન્દ્રભાઈ! આ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ રીતે ઊજવવાની તમન્ના સેવનાર ભાઈઓની સભામાં તમે પ્રતિષ્ઠા મહોત્સવના માહિતી-વિભાગ અને પ્રચારકાર્યનું સુકાન સંભાળ્યું અને બીજે જ દિવસે તમે સુંદર પત્રકારની પરિષદ છે. આવી પરિષદ અમારી પેઢીના ઈતિહાસમાં પ્રથમ જ હતી. આ પછી તે તમે 450 વર્ષે શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર ઊજવાતા પ્રતિષ્ઠા મહત્સવની માહિતી અને તેની અનુમોદના દ્વારા શાસનપ્રભાવનારૂપ પ્રચારકાર્યને તમે ખૂબ ખૂબ વેગીલું બનાવ્યું. 6000 માહિતી સભર ફોલ્ડર કાઢયાં અને ભારતભરના ખૂણેખૂણાના પત્રકારેને શ્રી પાલીતાણામાં એકઠા કર્યા અને ભારતભરનાં વર્તમાનપત્ર, ઓલ ઈંડીયા રેડીયો અને માહિતી-ચિત્ર દ્વારા શ્રી શત્રુંજય મહાતીર્થના આ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રસિદ્ધિ જૈન-જૈનેતર જનતામાં તીર્થ પ્રત્યેની સદભાવને ભારતભરમાં પ્રગટાવી સુંદર શાસનપ્રભાવના કરી છે. જૈન શાસનમાં કોઈ પણ ઉત્સવને આવી પ્રસિદ્ધિ આજ સુધીમાં ભાગ્યે જ સાંપડી છે. અને પત્રકારોએ જે ઉમળકાભેર આ મહોત્સવની પ્રસિદ્ધિમાં સહકાર આપે છે તેમાં તમારી ચીવટ, દઈગામી દષ્ટિ અને કાર્ય કરવાની કુશળતાપૂર્વક શાસનસેવાને આભારી છે. શાસનપ્રભાવનાકારક આ પ્રતિષ્ઠા-મહોત્સવની વિસ્તૃત પ્રસિદ્ધિ દ્વારા તમે તમારા શાસન પ્રત્યેના રાગને પ્રગટ કરવા સાથે ઘણુનાં સમકિત નિર્મળ કર્યા છે. શાસનમાં આવી સેવાભાવી વ્યક્તિઓથી શાસન ઉજજવળ છે તેની તમે પ્રતીતિ કરાવી છે. અંતે, તમારી શાસનસેવાને બિરદાવવા સાથે ઉત્તરોત્તર શાસનસેવાનાં આવાં ઘણું સુંદર કાર્યો તમારા હાથે થાય તેવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના પૂર્વક તમને દીર્ધાયુ ઈછી આ અભિનંદનપત્ર સમર્પણ કરીએ છીએ. વિ. સં. 2032 ફાગણ સુદ 6, રવિવાર અમદાવાદ, તા, -3-76 કસ્તુરભાઈ લાલભાઈ પ્રમુખ શેઠ આણંદજી કલ્યાણજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org