________________ પરિશિષ્ટ 4: શેઠશ્રીની નિવૃત્તિ અને કાર્યકરેનું બહુમાન [175] સકલ શ્રીસંઘના પ્રતિનિધિઓ દ્વારા સન્માનિત થયેલ પ્રતિષ્ઠા-મહોત્સવના સાતે સેવાપરાયણ મુખ્ય કાર્યકરોની વતી જવાબ આપતાં પંડિત શ્રી મફતલાલભાઈએ, બહુ જ નમ્રતા સાથે, બધા કાર્યકરભાઈઓએ તે માત્ર પોતાની ફરજ જ બજાવી હેવાનું જણાવીને, આવું બહુમાન કરવા બદલ, હાર્દિક આભારની લાગણી તેમ જ આવા અપૂર્વ ધર્મઅવસરને લાભ મળવા બદલ ખુશાલી દર્શાવી હતી અને પેઢીની ઉજજવળ કારકિદીને તથા શેઠશ્રી કસ્તુરભાઈની શાસનસેવાની તમન્ના અને અરધી સદીની યશસ્વી કાર્યવાહીને અંતરના ઉમળકાથી બિરદાવી હતી. જેમ ગિરિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થ ઉપર થયેલ પ્રતિષ્ઠા મહોત્સવ વિશિષ્ટ પ્રકારનું હતું, તેમ સકલ શ્રીસંઘનું પ્રતિનિધિત્વ ધરાવતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા, શ્રીસંઘના પ્રતિનિધિઓની હાજરીમાં અને શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના શુભ હસ્તે કરવામાં આવેલ આ સન્માન પણ વિશિષ્ટ પ્રકારનું ગણાય એવું હતું. એટલે આવું સન્માન મેળવવા ભાગ્યશાળી બનનારા મહાનુભાવે એથી વિશેષ આહલાદ અનુભવે અને પિતાની જાતને ધન્ય માને તે સ્વાભાવિક છે. પણ અભિનંદનપત્રને સ્વીકાર કરતી વખતે આ કાર્યકર્તા ભાઈઓએ જે વિનમ્રતા અને સંકેચની લાગણી દર્શાવી હતી, એ જાણે એ દરેકના અંતરમાં વસેલી પિતાના સહકાર્યકરે પ્રત્યેની કૃતજ્ઞતા અને આભારની લાગણીની સાક્ષી પૂરતી હતી અને એકરંગી અને એકદિલ બનીને કાર્ય કરવાથી, ગમે તેવા મહાન કે મુશ્કેલ કાર્યમાં પણ, કેવી દાખલારૂપ સફળતા મળે છે, એ સત્યને સમજાવતી હતી. છે તેને નવિ શાસનમ્ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org