SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ 4: શેઠશ્રીની નિવૃત્તિ અને કાર્ય કરેનું બહુમાન [173] સેવાભાવી શ્રી ચંદ્રકાન્તભાઈ! શાસનપ્રભાવનાકારક આ પ્રતિષ્ઠા મહોત્સવમાં હજાર જેટલાં સાધુ-સાધ્વી મહારાજે હતાં. તેઓની વૈયાવચ્ચની જવાબદારી તમે ખૂબ પ્રસન્નતાપૂર્વક સ્વીકારી હતી. અને તેને ખૂબ સરસ રીતે બજાવી બધાને સંતોષ આપ્યું હતું, જેને લઈ પ્રતિષ્ઠા મહોત્સવ દીપી ઊઠયે એ તમારા સેવાભાવ ગુણને આભારી છે. - શાસનમાં આવી સેવાભાવી વ્યક્તિઓથી શાસન ઉજજવળ છે તેની તમે પ્રતીતિ કરાવી છે. અંતે, તમારી શાસનસેવાને બિરદાવવા સાથે ઉત્તરોત્તર શાસનસેવાનાં આવાં ઘણાં સુંદર કાર્યો તમારા હાથે થાય તેવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના પૂર્વક દીર્ધાયુ ઈરછી આ અભિનંદનપત્ર તમને સમર્પણ કરીએ છીએ. વિ. સં. 2032 ફાગણ સુદ 6, રવિવાર અમદાવાદ, કસ્તુરભાઈ લાલભાઈ તા. -3-76 પ્રમુખ શેઠ આણંદજી કલ્યાણજી શ્રી શત્રુંજ્ય તીર્થપતિ ઋષભસ્વામિને નમઃ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર નૂતન નિર્માણ થયેલ જિનપ્રસાદમાં 504 જિનેશ્વરભગવંતનાં બિઓના પ્રતિષ્ઠા સમારેહને શાસન પ્રભાવનાપૂર્વક સફળ રીતે ઊજવવા બદલ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી * શ્રી મહેન્દ્રભાઈ પુરુષોત્તમદાસ ફડીયાને અભિનંદનપત્ર શ્રી મહેન્દ્રભાઈ પુરુષોત્તમદાસ ફડીયા ! - શ્રી શત્રુંજય પાલીતાણામાં આજ સુધી ઘણા મહોત્સવ ઊજવાયા છે અને હજારો યાત્રાળુઓની સંખ્યા થઈ છે, છતાં વિ. સં. ૨૦૩ર મહા સુદ 7 શનિવાર, તા. ૭–૨-૭૬ના રોજ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર નૂતન નિર્માણ થયેલ જિનપ્રાસાદનો પ્રતિષ્ઠા મહોત્સવ જે શાનદાર રીતે સુંદર ઊજવાય તેની ભારતભરનાં પિપરોમાં, શાસન ની પ્રભાવનાપૂર્વક, જે પ્રસિદ્ધિ થઈ તે તમારી દીઘપરિણામદશી દૃષ્ટિ, કાર્યદક્ષતા, પરિશ્રમ અને કુનેહને આભારી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005597
Book TitleShatrunjay uper thayel Pratishthano Ahewal
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy