________________
[૧૬૬]
પ્રતિષ્ઠાને અહેવાલ
શ્રી શત્રુંજય તીર્થપતિ ઋષભરવામિને નમઃ શ્રી શત્રુજય ગિરિરાજ ઉપર નૂતન નિર્માણ થયેલ જિનપ્રાસાદમાં પ૦૪ જિનેશ્વરભગવતનાં બિલ્બના પ્રતિષ્ઠા સમારેહને શાસનપ્રભાવના પૂર્વક સફળ રીતે ઊજવવા બદલ
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી શ્રી કલ્યાણભાઈ પુરુષોત્તમદાસ ફડાયાને
અભિનંદનપત્ર શ્રી કાર્યદક્ષ કલ્યાણભાઈ ફડીયા !
શ્રી શત્રુંજય-પાલીતાણામાં આજ સુધી ઘણું મહત્સવ ઊજવાયા છે અને હજારે યાત્રાળુઓની સંખ્યા થઈ છે. છતાં વિ. સં. ૨૦૩ર મહા સુદ ૭ શનિવાર, તા. ૭-૨-૭૬ ના રોજ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર નૂતન નિર્માણ થયેલ જિનપ્રાસાદનો પ્રતિષ્ઠા મહોત્સવ જે શાનદાર રીતે સુંદર ઊજવાય, તે તમારી કાર્યદક્ષતા, કુનેહ, પરિશ્રમ અને યોજનાશક્તિને આભારી છે. તમન્નાશીલ અપૂર્વ યોજક શ્રી કલ્યાણભાઈ !
પ્રતિષ્ઠાના ૧૫ દિવસ અગાઉ તમે આ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યમાં રસ લીધો અને આ મહોત્સવ સુંદર અને શાનદાર કઈ રીતે ઊજવાય તેની વિચારણા કરી સહકાર્યકરો શોધી કાઢયા. કામની વહેંચણી પેટા સમિતિ દ્વારા કરી યથાસ્થાને કાર્યદક્ષ સેવાભાવી કાર્યકરોને ગોઠવ્યા અને જોતજોતામાં પાલીતાણા શહેર અને મહત્સવના બધાં સ્થળો ઉત્સવથી ગાજતાં ર્યા. અવિરત પરિશ્રમી કુશળ સેવાભાવી શ્રી ફડીયા !
તમે સહકાર્યકરો સાથે મળી હજારે માણસે જમે તેવી સ્વચ્છ ભજનની સામગ્રી, સ્વછ વાસણ, સુંદર મંડપ, છ છ દિવસ સુધી લાગટ થનાર નવકારશીમાં રોજ રોજ ભિન્ન ભિન્ન મિષ્ટાન્ન અને ફરસાણ કરનાર રસોઈયાઓ, નેરે વિગેરે તમામ સાધન વિદ્યુતવેગે એકઠાં ક્ય. હજારે માણસે જમે છતાં બિલકુલ સ્વચ્છ મંડપ અને ઘોંઘાટ વિના ઉષ્ણ ભજન પીરસાય તેવી વ્યવસ્થાપૂર્વકની નવકારશી પાલીતાણામાં યાત્રીઓએ પ્રથમ વાર જોઈ છે. આવી સુંદર નવકારશી જમણની વ્યવસ્થા તમારી યોજનાબદ્ધ કાર્ય કરવાની શક્તિ, અવિરત પરિશ્રમ અને સેવાભાવની ભાવનાને આભારી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org