________________
પરિશિષ્ટ ૪: શ્રીની નિવૃત્તિ અને કાર્યકરેનું બહુમાન
[૧૫] ફાળો પણ ઘણો અગત્યને હતે. તમારી આવી ભાવનાભરી અને વિશિષ્ટ કામગીરી પ્રત્યે આજના પ્રસંગે કૃતજ્ઞતાની લાગણી દર્શાવતાં અમને અતિ હર્ષ થાય છે. .
આ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવાની કાર્યવાહી કંઈ નાનીસૂની ન હતી. એ માટે, લાંબી નજર દોડાવીને, શ્રીસંઘના ધોરણે તથા કાર્યક્ષમ વ્યવસ્થાતંત્ર રચવાની દષ્ટિએ-એમ બંને રીતે ઘણી અટપટી કાર્યવાહી વિશાળ પાયા ઉપર કરવાની જરૂર હતી. આ માટે તમે શ્રીસંઘમાં ઉત્સાહભર્યું વાતાવરણ ઊભું કરવામાં, બીજાઓનો સહકાર ઉત્પન્ન કરવામાં જે અવિરત શ્રમ ઉઠાવ્યો હતો અને શક્તિશાળી વ્યવસ્થાતંત્રની રચના કરવામાં તમારી કાર્યકુશળતા અને તમારી વગને જે ઉપગ કર્યો હતો એ અવિસ્મરણીય છે.
તમે શ્રદ્ધાશીલ, વિવેકી અને આચાર્યાદિ મુનિભગવંતના વિશ્વાસપાત્ર વિદ્વાન તરીકે ખૂબ જ પ્રસિદ્ધ છે. કેટલાંક વર્ષથી પઠન પાઠનને વ્યવસાય છોડી દીધો હોવા છતાં શાસનમાં કઈ પણ પ્રશ્ન ઊભું થાય ત્યારે તમારી પ્રત્યેને આચાર્યાદિ મુનિભગવંતેને અપ્રતિમ વિશ્વાસ પ્રગટ થયા વિના રહેતું નથી તે અમે નજરે નિહાળ્યું છે.
આ પ્રતિષ્ઠા મહોત્સવમાં તમારે સક્રિય સાથ મળી રહે તે માટે તમે આ મહોત્સવ દરમ્યાન, પિતાના વ્યવસાયની ચિંતાને વિસારીને, પાલીતાણા શહેરમાં જ રહ્યા હતા, તે એમ સૂચવે છે કે, શ્રીસંઘના આ ધર્મકાર્યને તમે પિતાનું જ કાર્ય માની લીધું હતું. તમારા અંતરમાં રહેલ ધર્મરુચિ. શાસન પ્રત્યેની દાઝ અને પેઢી તરફની મમતાને તમે આ પ્રસંગે, આ પ્રમાણે, ચરિતાર્થ કરી તેથી આનંદ થાય છે. વિદ્યાપ્રેમી મહાનુભાવ!
આ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગની તમારી આવી લાગણીભરી કામગીરીની અમો ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ અને એ કામગીરી તરફની શ્રીસંઘની કદરદાનીની લાગણીને વ્યક્ત કરવા આ અભિનંદનપત્ર તમને અર્પણ કરીએ છીએ.
અંતમાં, અમે શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ કે ધર્મસેવા અને શાસનપ્રભાવનાનાં અનેક સત્કાર્યો તમારા હાથે થતાં રહે એવી શક્તિ તથા તંદુરસ્તીભરી લાંબી જિંદગી તમને મળે!
કસ્તુરભાઈ લાલભાઈ
વિ. સં. ૨૦૩૨, ફાગણ સુદ ૬, રવિવાર અમદાવાદ, તા. ૭–૩–૭૬
પ્રમુખ
શેઠ આણંદજી કલ્યાણજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org