________________
อ
આ બધુ... છતાં આ પ્રતિષ્ઠા મહેાત્સવને સાંગેાપાંગ અને આ રૂપે પૂરા કરવાનુ કામ સહેલું નહીં, પણ ઘણું જ મુશ્કેલ હતું. પ્રતિષ્ઠાની પૂર્વતૈયારીની તપાસ માટે, પ્રતિષ્ઠાના પંદર દિવસ અગાઉ, શ્રીયુત કલ્યાણભાઈ ફડિયા, શ્રી ફૂલચંદભાઈ સલાત વગેરે પાલીતાણા ગયા ત્યારે તેમને લાગ્યું કે પાલીતાણામાં ન તા આ માટે કાઈ તૈયારી થતી દેખાતી હતી કે ન તેા ઉત્સાહ દેખાતા હતા. એમના પાછા આવ્યા પછી તે તથા ખીન્ન કા કરી શેઠશ્રીને એમના શાહીબાગના બંગલે મળ્યા. બધી વાત સાંભળીને થાડીક વાર તેા તે વિચારમાં પડી ગયા; પણ તરત જ એમણે મક્કમપણે કામ લેવાના નિય કર્યાં અને એમના નામથી અમદાવાદ શહેરના આગેવાનેાની મીટિંગ, તા. ૨૨-૧-૧૯૭૬ ના રાજ, શેઠ આણુંજી કલ્યાણજીની પેઢીમાં ખેાલાવવામાં આવી.
આ મીટિંગમાં આ પ્રતિષ્ઠા-મહેાત્સવ ખૂબ નહેાજલાલીપૂર્વીક ઊજવવાના નિર્ણય લેવામાં આવ્યા. આ માટે છ દિવસ સુધી નવકારશીનું જમણુ, ભવ્ય રાશની, શાનદાર વરધોડા, ઉતારાની સુંદર વ્યવસ્થા, પ્રતિષ્ઠા-મહેાત્સવની પ્રસિદ્ધિ માટે વર્તમાનપત્રોના સંપર્ક સાધવા તેમ જ બધાં વિધવિધા યથાસ્થિત રીતે થઈ શકે એ માટે જુદી જુદી સમિતિઓની નિમણૂક કરવામાં આવી. અને ખર્ચ માટેની પૂરેપૂરી વ્યવસ્થા પણ માત્ર અર્ધા જ કલાકમાં થઈ ગઈ. આ પછી દરેક સમિતિઓ પોતપાતાના કામમાં ખૂબ એકાગ્રતાથી પરાવાઈ ગઈ. આ પ્રતિષ્ઠા-મહેાત્સવ સૌની ધારણા કરતાં પણ વધુ સફળતાપૂર્વક ઊજવાઈ શકયા તે આ બધી સમિતિઓની સમણુભાવભરી કામગીરીને લીધે જ.
મેાટા કલ્યાણકારી કામમાં વિઘ્ના પણ મેટાં આવે તેમ, આ પ્રતિષ્ઠા-મહેાત્સવ માટે જ જેમણે વિહાર કર્યા હતા તે, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજને તગડી મુકામે કાળધર્મ થયા. પ્રતિમાના ઉત્થાપનવિધિથી લઈને તે પ્રતિષ્ઠાને લગતાં હરેક કાર્યમાં શેઠશ્રીને પ્રોત્સાહન આપનાર આ રિવરના વિરહ સૌને માટે આંચકા આપે એવે થયા. પણ કેવળ શેઠશ્રીની શુભ ભાવનાની પુણ્યપ્રકૃતિને લીધે કહેા કે પ્રતિષ્ઠાની શુભ ભાવનામાં વિહાર કરતાં કરતાં કાળધર્મ પામેલ એ સારવરના આશીર્વાદથી કહેા, પ્રતિષ્ઠાના માર્ગ નિષ્ક ટક બની ગયા.
પરમપૂજ્ય આચાર્ય. મહારાજ શ્રી વિજયનદનસૂરીશ્વરજી મહારાજના કાળધ બાદ પેઢીએ આ પ્રતિષ્ઠા કરવા માટે એમના જ સમુદાયના વયાવૃદ્ધ અને અતિભદ્રપરિણામી પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજી મહારાજને વિનંતી કરી, દિવસે થાડા હતા. તેમનુ` સુરત વગેરે સ્થાનામાં પ્રતિષ્ઠા કરાવવા જવાનું નિશ્ચિત થયેલું હતું. આમ છતાં તે તે સંઘના આગેવાનને તરત જ ખેાલાવીને તે પ્રતિષ્ઠાઓ કરતાં આ પ્રતિષ્ઠાનુ કામ વિશેષ મહત્ત્વનું હેાવાનું તેમને સમજાવ્યુ. અને તેઓને પાલીતાણા પધારવાની જય ખેાલાવી, એની સાથે સાથે દીક્ષા આપવા માટે કપડવંજ તરફ પધારી રહેલ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી દેવેદ્રસાગરસૂરીશ્વરજી મહારાજને શેઠશ્રી બાયડ ગામમાં મળ્યા અને તેમને પ્રતિષ્ઠામાં પધારવાની વિનંતી કરી. કપડવંજનું દીક્ષાનું મુદ્દત નિશ્ચિત હતુ, અને અમદાવાદ પહેાંચવા માટે એમની પાસે સમય ટૂં કા હતા, છતાં કાર્યની વિશિષ્ટતાને સમજીને અને સવાર-સાંજ વિહાર કરીને તેઓશ્રી ત્રણ જે દિવસમાં અમદાવાદ પધારી ગયા. અને બંને આચાăએ, પેાતાના વિશાળ પરિવાર સાથે, પાલીતાણા તરફ વિહાર કર્યાં.
બીજી તરફ ભાવનગરમાં બિરાજતા ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી હેમસાગરસૂરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org