SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિષ્ઠાને પુણ્ય અવસર [૬૭] આ મહોત્સવને ઘંટનાદ અને પુણ્યાતું પુણ્યાહૂના મંત્રોચ્ચારોથી વધાવી લેવાને આદેશ, ખાસ જાહેરાત દ્વારા, ગામેગામના સંઘને અનેક આચાર્ય ભગવંતોએ આપ્યા હતો. એટલે અનેક સ્થાનેના સંઘોએ આ આદેશને શિરે ચડાવીને આ મંગલ અવસરને પિતાની ભાવનાનાં અર્થે અર્પણ કર્યા હતાં. પ્રતિષ્ઠાનું મહાન કાર્ય સમયસર અને વિધિપૂર્વક સર્વાંગસુંદર રીતે પૂરું થયું એટલે, સવારના સાડાદસ વાગતાંના સુમારે, સૌને માટે દાદાની ટૂક ખુલ્લી મૂકી દેવામાં આવી હતી. તેથી હજારો ભાવિક જનોએ નૂતન પ્રતિષ્ઠિત થયેલ જિનેશ્વરદેવોની પ્રતિમાઓનાં દર્શનનો લાભ લીધો હતે. બધાનાં મેં મીઠાં કરાવ્યાં–પ્રતિષ્ઠાના અપૂર્વ અવસર નિમિત્તે, આખા પાલીતાણા શહેરમાં, માણસ દીઠ લાડવાની લહાણ કરીને સૌનાં મોં ગળ્યાં કરાવવામાં આવ્યાં હતાં. કતલખાનાં બંધ-આ પ્રસંગના વિશિષ્ટ સંભારણું તરીકે, ગુજરાત સરકારે પણું, પ્રતિષ્ઠાના દિવસે, રાજ્યભરમાં કતલખાના બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. ગુજરાત સરકારનું આ પગલું જેમ અહિંસાના અવતાર સમા તીર્થંકર ભગવાનની સેંકડો પ્રતિમા એની પ્રતિષ્ઠા જેવા પુણ્ય અવસર સાથે સુસંગત અને સુવર્ણમાં સુગંધને ઉમેરો કરવા જેવું હતું, તેમ એ એનાં લોકચાહના અને ગૌરવમાં ઉમેરે કરે એવું પણ હતું. ભગવાન તીર્થંકરની પ્રતિમાઓની પ્રતિષ્ઠા નિમિત્તે અબાલ, નિર્દોષ, સેંકડો પશુઓને અભયદાન મળે એના જેવું ઉત્તમ કાર્ય આવા પ્રસંગે બીજું કયું હોઈ શકે? ગુજરાત સરકારે આવું જીવોને બચાવવાનું સત્કાર્ય કરીને આ મહોત્સવનું સાચું બહુમાન કર્યું હતું એમ કહેવું જોઈએ. આ માટે ગુજરાત સરકારને જેટલાં ધન્યવાદ અને અભિનંદન આપીએ તેટલાં ઓછાં છે. શાંતિસ્નાત્ર–પ્રતિષ્ઠાના પર્વ દિવસે, બપોરના વિજય મુહૂર્ત, નૂતન જિનાલયમાં શાંતિસ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું અને એમાં આદેશ લેનારાઓએ તથા ચતુર્વિધ શ્રીસંઘે ઉલ્લાસથી ભાગ લીધે હતે. અને.... અને... અને “ઓચ્છવ રંગ વધામણાં” ની ભવ્ય અને દિવ્ય ભાવના સાથે જિનબિંબને પધરાવવાને આ જ મુખ્ય સમારોહ પૂરો થયો હતો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005597
Book TitleShatrunjay uper thayel Pratishthano Ahewal
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy