________________
પ્રતિષ્ઠાને અહેવાલ વળી પ્રતિષ્ઠાને પાસ નહીં ધરાવનાર યાત્રિકને પણ ગિરિરાજ ઉપર ચડવાની કઈ રેક-ટેક ન હતી. પ્રતિષ્ઠાનું મુહૂર્ત સચવાઈ રહે અને એને વિધિ સાંગોપાંગ પૂરો થાય એટલા વખત માટે જ તેઓને દાદાની મુખ્ય ટૂકમાં જવાની મનાઈ છે; એટલે તેઓ હનમાનના હડાથી નવ ટૂંકમાં ખુશીથી જઈ શકે છે, અને ત્યાંથી, અનુકૂળ સ્થળેથી પ્રતિષ્ઠા મહોત્સવને પણ જોઈ અને એના મંત્રોચ્ચારો કે ઘંટનાદેને સાંભળી શકે છે. આ રીતે આજે ગિરિરાજ ઉપર ચતુર્વિધ શ્રીસંઘને વિરાટ મેળો જામ્યો હોય એમ લાગે છે. અને એ રીતે સમયની ગતિ આગળ વધતાં વધતાં પ્રભુ-પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવાની પુણ્ય ઘડી પણ આવી પહોંચી.
પુણ્યાહ પુણ્યાહ-કુદરતમાં ચોમેર ઋતુરાજ વસંતની બહાર પ્રસરી રહી છે, ત્યારે અહીં માનવ-મહેરામણનાં હૈયાંમાં પણ ભાવના-શ્રદ્ધા-ભક્તિની વસંતના પ્રમોદકારી ફૂલડાં પુરબહારમાં ખીલી નીકળ્યાં છે. આ માનવસમૂહ, દેવાધિદેવના ચરણમાં સંસારની સર્વ જળ જથાને ભૂલીને, અત્યારે જાણે પરમાત્મામય બની ગયો છે! સૂર્યદેવને રથ ધીમે ધીમે આગળ વધે છે. સવારના નવ પણ વાગી ગયા. પ્રતિષ્ઠા કરનાઓની ઉત્સુકતામાં જાણે ભરતી આવી રહી છે, અને પળે પળે એમાં વધારો થતો જાય છે. ઘડિયાળના કાંટે સવાનવના અંકને વટાવીને આગળ વધી રહ્યો છે. પ્રતિષ્ઠા કરનારાઓ પિતાપિતાનાં જિનબિંબ પાસે ઉપસ્થિત થઈ ગયાં છે. એમના રેમ રેમમાંથી જાણે પ્રભુના નામસ્મરણને મૂક ધ્વનિ ગુંજારવ કરી રહ્યો છે. પ્રતિષ્ઠા કરાવનાર મુખ્ય આચાર્યદેવ પરમ પૂજ્ય શ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજી મહારાજે સર્વ આચાર્યો અને મુનિરાજોને, સમયસર મંત્રોચ્ચાર અને વાસક્ષેપ કરવા માટે, જુદાં જુદાં સ્થાનેએ ગઠવી દીધા છે. વિધિકારકે પણ પોતપિતાનાં સ્થાનેએ, બધી સામગ્રી સાથે, સજ્જ થઈને ઊભા છે. જિનેશ્વર ભગવાનની પ્રતિમાઓને ગાદીનશીને કરવાની વેળા અને વિધિ અણીશુદ્ધ રીતે સચવાય એ માટેની પૂરેપૂરી તૈયારી થઈ ગઈ છે, અને પ્રતિષ્ઠાનું મંગલ મુહૂર્ત નજીક આવતું જાણીને, ચતુવિધ શ્રીસંઘે ગિરિરાજને પુણા પુથા બીયન્તાં ચન્તાં ના બુલંદ મંત્રોચ્ચારથી ગુજાયમાન કરી મૂક્યું અને ગિરિવરનાં શિખર તથા એની કંદરાઓ એના પડઘાથી ગાજી ઊઠયાં.
અને. અને... અને પ્રતિષ્ઠાની (૯–૩૬-૫૪ વાગતાંની) એ મંગલ વેળા પણ આવી પહોંચી અને જિનબિંબને સમયસર ગાદીનશીન કરીને મંત્રોચ્ચારે, જય જયના નાદો અને ઘંટારવથી એ વેળાનાં વધામણાં કરીને પ્રતિષ્ઠાનું કાર્ય, ભાલ્લાસપૂર્વક પૂરું થયાની સૌને જાણ કરવામાં આવી.
ભાવિક જને ગદગદ બનીને ભગવાનને અભિનંદી રહ્યાં અને પિતાના જીવતરને અભિનંદી રહ્યાં! પરમાત્મા ! કેવા અણમેલ અવસરને પુણ્ય લાભ આજે અમને આપ્યો! સૌનાં અંતર જાણે પ્રભુભક્તિ અને હર્ષોલ્લાસના અમીરસથી છલકાઈ ગયાં !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org