SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિષ્ઠાને પુણ્ય અવસર ધર્મોત્સવના કાર્યક્રમોમાં આગળ વધતાં વધતાં આપણે છેક ૫૦૪ જિનબિંબને ગાદીનશાન કરવાના પરમ મંગલકારી દિવસ સુધી પહોંચી ગયા. ઋતુરાજ વસંતને આજને સૂરજ કેવી ભાવના અને શ્રદ્ધાને પવિત્ર રસ રેલાવતે ઊગ્યો હતો ! આ પ્રતિષ્ઠા તે થવાની હતી તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાગિરિ ઉપર, પણ શ્રીસંઘમાં પ્રગટેલ ભાવભર્યા ઉલ્લાસનાં અમીછાંટણું ઠેર ઠેર વરસી ગયાં હતાં ! આ સમારોહ ભારતભરના જૈન સંઘને પનોતા સમારેહ બની ગયો હતે. પુણ્યશાળીઓ–શ્રી જિનેશ્વર દેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાનો અમૂલ્ય આદેશ મેળવનાર પુણ્યશાળીઓ, પોતપોતાના સાથીઓ સાથે, વહેલી સવારથી, ચડતે પરિણામે, ગિરિરાજ ઉપર ચડવા લાગ્યાં છે. જયતળાટીની પાવન ભૂમિ પાસે ઊભા રહીને એમનાં દર્શન કરીએ તે દેખાય છે કે, મોટા ભાગના પુણ્યશાળીએ, ગિરિરાજની પવિત્ર ધૂલીને સ્પર્શ કરતાં કરતાં, પગે ચાલીને ઉપર જઈ રહ્યાં છે, તે કેટલાક ડેળીમાં પણ બેઠેલા છે. અને દરેકના અંગ ઉપર, પુણ્ય કાર્યના પરવાના સમે, પાસ ભી રહ્યો છે. એમની સાથે સાથે કાર્યકરને, સ્વયંસેવકનો, પ્રેસ-પ્રતિનિધિને કે એવા કોઈ પ્રકારનો પાસ ધરાવનારાઓ પણ ઉપર જઈ રહ્યા છે. ઉપરાંત પૂજ્ય શ્રમણ ભગવંત તથા પૂજ્ય સાધ્વીજી મહારાજે પણ સેંકડોની સંખ્યામાં ઉપર ચડવા લાગ્યાં છે. સૌનાં અંતરમાં અત્યારે એક જ ભાવના ગુંજી રહી છે કે, પ્રતિષ્ઠાના વિધાન તથા પુણ્ય અવસર માટે વેબસર ઉપર પહોંચી જવું. શેઠશ્રી કસ્તુરભાઈ પણ આઠેક વાગતાં સુધીમાં ગિરિરાજ ઉપર પહોંચી ગયા હતા. એટલે એમણે, એ અરસામાં પર્વત ઉપર પહોંચી ગયેલા પેસેના પ્રતિનિધિભાઈઓની સાથે એકાદ કલાક સુધી દાદાની ટૂકમાં જુદાં જુદાં સ્થાનેએ જાતે ફરીને, એમને તીર્થના કળાપૂર્ણ શિલ્પ સ્થાપત્ય સંબંધી તથા તીર્થની પવિત્રતા તથા પ્રાચીનતા સંબંધી વાતો સમજાવી હતી. ગિરિરાજ ઉપર રચવામાં આવેલ સેંકડો જિનમંદિરને, જેન સંઘની ધર્મભાવના અને કળાપ્રીતિના સંગમ સમે શિલ્પ સ્થાપત્યને વૈભવ જાણે પ્રેસ-પ્રતિનિધિઓનાં અંતરમાં વસી ગયે હતું. સાથે સાથે ૮૧-૮૨ વર્ષની વૃદ્ધ ઉંમર છતાં શેઠશ્રીએ આ બાબતમાં જે શાસનપ્રેમ અને ઉત્સાહ બતાવ્યો હતો, એ પણ એમને માટે યાદગાર બની ગયા હતા. આને લીધે તેમ જ આ મહાન પુણ્ય પ્રસંગને નજરે નિહાળવાને સુગ મળવાને લીધે, આ પ્રતિષ્ઠા મહોત્સવના સમાચાર સારા પ્રમાણમાં દેશના દૂર દૂરના ભાગ સુધી પહોંચી શક્યા હતા, એ કહેવાની જરૂર નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005597
Book TitleShatrunjay uper thayel Pratishthano Ahewal
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy