________________
[૬૮]
પ્રતિષ્ઠાને અહેવાલ (૧૦) છેલો–દસ દિવસ : દ્વારદ્દઘાટન
ગેઢીડા ! તું બાર ઉઘાડ, પણ છે પૂજાનું.” –ભક્તજન પ્રભુના પૂજારી પાસે માગણી કરે છેઃ હે ગોઠી હે પૂજારી! પરમાત્માના દરબારનાં દ્વાર ઉઘાડ, મારે પ્રભુની પૂજાનું મારું વચન (પણ) પૂરું કરવું છે. આ
પ્રતિષ્ઠા પછી આરતી-મંગળદી ઉતાર્યા બાદ સંધ્યા ટાણે પ્રભુમંદિરનાં દ્વાર બંધ કરવામાં આવ્યાં હતાં, તેનું આજે પહેલી વાર મંગળ ઉદ્દઘાટન કરાવવાનું છે. પણ આજે આ દ્વાર પૂજારીના હાથે નહીં પણ પ્રભુના ભાવિક ભક્તના હાથે, મંગળ મુહૂર્ત, ઉઘડાવવાનાં છે. અને એને આદેશ ફલેદીનિવાસી અમદાવાદના વતની શેઠશ્રી સંપતલાલજી પદમચંદજીએ લીધો છે.
માહ શુદિ ૮ ના રોજ વહેલી સવારે ચતુવિધ શ્રીસંઘ શેઠશ્રી સંપતલાલજીને આ માટે 'વિનંતિ કરવા, વાજતે ગાજતે, એમના આંગણે ગયે, અને શ્રીસંઘ સાથે, વાજતે ગાજતે, હાથીના હેદા ઉપર બેસીને, તેઓ ગિરરાજની તળાટી સુધી ગયા અને ત્યાંથી દ્વારેદઘાટન માટે ગિરિરાજ ઉપર વખતસર પહોંચી ગયા.
દસ વાગતાંના મંગળ મુહૂર્તો, ચતુવિધ શ્રીસંઘના જયનાદે, તથા હર્ષનાદે વચ્ચે, તેઓએ નૂતન જિનપ્રાસાદનું દ્વારદ્દઘાટન કરીને દેવાધિદેવનાં દર્શન સ્વયં કર્યા અને સવને કરાવ્યાં ત્યારે જાણે હવામાં પણ એ જ સાદ ગુજતે હતું કે–
યુગાદિદેવ શ્રી આદીશ્વર દાદાને જય!
પછી ગિરિરાજ ઉપર સત્તરભેદી પૂજા ભણાવવામાં આવી અને એ પૂજાની પૂર્ણાહુતિ સાથે દસ દિવસના મહોત્સવની પણ પૂર્ણાહુતિ થઈ. અને સૌ, આ અપૂર્વ અવસરનાં મીઠાં-મધુર સંસ્મરણે સાથે, પિોતપોતાના ગામે પહોંચવા વિદાય થવા લાગ્યા.
જય, તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાગિરિને જય!
| | શ્રી નમામિ નમ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org