________________
મહેસવના આઠ દિવસ
[૬૩] પાલીતાણાના સંઘ, અતિ આગ્રહ કરીને, ઘણી મુશ્કેલીથી, અભિનંદન-પત્રને સ્વીકાર કરવાની શેઠશ્રી કસ્તુરભાઈની સંમતિ મેળવી હતી. આ માટે તેઓએ માત્ર અડધા કલાક જેટલો જ સમય આપ્યું હતું. પણ પ્રતિષ્ઠા-મહોત્સવ નિમિત્તે આવેલ યાત્રિકમાંના જૈન સંઘના મોવડીઓને જ્યારે આ વાતની જાણ થઈ એટલે એમણે પણ તાત્કાલિક વિચાર-વિનિમય કરીને, શેઠશ્રી કસ્તુરભાઈને આ વાતની જાણ કર્યા વગર જ, સમસ્ત યાત્રિકોની વતી જુદા જુદા વિભાગના ૨૧ અગ્રણીઓની સહીથી, જુદું અભિનંદનપત્ર આપવાનું નક્કી કર્યું હતું અને એ માટે બહુ જ ઓછા વખતમાં એવી સુંદર તૈયારી કરી હતી કે જે જોઈને કોઈને પણ આશ્ચર્ય થયા વગર ન રહે—જાણે શેઠશ્રીની જાગતી પુણ્યપ્રકૃતિએ જ આ માટે પ્રેરણા આપી હતી.
રાત્રે જ્યારે, આ અવસર નિમિત્તે, જુદા જુદા વક્તાઓએ શેઠશ્રીની જૈન શાસનની અમૂલ્ય સેવાઓને લાગણીભીના શબ્દોમાં બિરદાવ્યા પછી, એમને બને અભિનંદન-પત્ર અર્પણ કરવામાં આવ્યાં ત્યારે શેઠશ્રીના તથા વિશાળ જનસમૂહનાં અંતરને ગદ્દગદ બનાવી મૂકે એવું હૃદયસ્પર્શી દશ્ય સરજાયું હતું. શેઠશ્રીએ “આ પ્રસંગે મારું અભિનંદન શા માટે કરવામાં આવે છે, એ મને સમજાતું નથી; ખરા અભિનંદનના અધિકારી તે આ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવનાર કાર્યકરે અને મારા સાથીઓ છે.” એ મતલબના શબ્દો ઉચારીને, પિતાની વિનમ્રતા દર્શાવી હતી અને લાગણીભીના શબ્દમાં સૌને આભાર માન્યો હતો.
જાણે પિતાના આભાર-નિવેદનની પૂર્તિ કરતા હોય એમ જ્યારે શેઠશ્રીએ પ્રતિષ્ઠામહોત્સવને સફળ બનાવવાની જહેમતભરી કાર્યવાહી બજાવનાર એક પછી એક કાર્યકરેને, દરેકની લાક્ષણિકતાને ખ્યાલ આપતા, ટૂંક પરિચય હાસ્ય રેલાવતા શબ્દોમાં આપ્યું ત્યારે સમસ્ત વાતાવરણ રમૂજભર્યું બની ગયું હતું, અને શેઠશ્રીનું કંઈક જુદા જ પ્રકારનું વ્યક્તિત્વ આ અવસરે જોવા મળ્યું હતું. તેઓએ શ્રી કલ્યાણભાઈ ફડિયા, પંડિત શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધી, શ્રી મહેન્દ્રભાઈ ફડિયા, શ્રી જયંતીલાલભાઈ ભાઉ, શ્રી ફૂલચંદભાઈ છગનલાલ સલત અને શ્રી શાંતિલાલ કેશવલાલ શાહ ઊર્ફે બાબુભાઈ વગેરેને ઊભા કરી કરીને શ્રીસંઘને એમનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે નવકારશીના જમણ માટેની વ્યવસ્થા અંગે પોતાની વિશેષ ખુશાલી દર્શાવતાં તેઓએ, હસતાં હસતાં, કહ્યું હતું કે, આ નવકારશીના જમણમાં એક વાત મારા જેવામાં ન આવી, તે એ છે કે, ત્યાં ક્યાંય ધૂળની રજ પણ ન હતી ! આવી સ્વચ્છતા નવકારશીમાં અહીં જ જોઈ.”
આ પ્રસંગે છે નવકારશીને લાભ લેનારાઓમાંથી મુંબઈના શેઠ ખૂમચંદજી રતનચંદજી જેરાજી, અમદાવાદ સંજીવબાગના સદગૃહસ્થની વતી શ્રી કલ્યાણભાઈ ફડિયા તથા શ્રી ચંદ્રસેનભાઈ પાનાચંદ ડાહ્યાભાઈ ઝવેરીને તેઓએ ધન્યવાદ આપ્યા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org