________________
૭૮
પાટણનાં જિનાલયો પ્રતિમાઓ બિરાજમાન છે. આ ચોવીસેય પ્રતિમાઓ રાતા આરસની છે. શ્વેત આરસપ્રતિમા અલ્પ છે અને તેની સાથે ઘણી બધી રાતા રંગની પ્રતિમાઓ હોવાને કારણે આ ગભારો અતિ દેદીપ્યમાન લાગે છે. જેમ ઢંઢેરવાડાના શામળા પાર્શ્વનાથના ગભારામાં શ્વેત-શ્યામ સંયોજનથી ગભારો અલગ તરી આવે છે તેમ અહીં પણ બન્યું છે. આમ, આદેશ્વરના આ જિનાલયના ગભારામાં એક સાથે અતીત, અનાગત અને વર્તમાન – એમ ત્રણેય ચોવીસીના તમામ ભગવાનની પ્રતિમાઓના દર્શન-પૂજા થાય છે. અહીં સત્તાવીસ આરસપ્રતિમા છે જેમાં ચોવીસ રાતા રંગની છે અને બાર ધાતુપ્રતિમા છે.
ચંદ્રપ્રભસ્વામી સામે આવેલા ચંદ્રપ્રભસ્વામીના જિનાલયના રંગમંડપમાં થાંભલાઓ પર આછા ઘેરા (Shaded) રંગથી સુંદર રંગકામ કરેલું છે. ઉપરની છતમાં પથ્થર પર રંગકામ છે. રંગમંડપમાં જમણી બાજુના ગોખમાં બે આરસપ્રતિમા છે. તથા ડાબી બાજુ એક દેવકુલિકાની રચના કરવામાં આવેલી છે. આ દેવકુલિકાના ગોખમાં એક આરસપ્રતિમા બિરાજે છે. અહીં દેવકુલિકામાં મધ્યે સમવસરણની રચના પણ છે જેમાં ચૌમુખે ઋષભદેવ, ચંદ્રાનન, વારિષણ, વર્ધમાનસ્વામી – એમ ચાર શાશ્વતા તીર્થકર બિરાજમાન છે.
આ દેવકુલિકામાં ડાબી બાજુ ખૂણામાં નીચેના ભાગમાં કાઉસ્સગ્ગ મુદ્રામાં આરસની એક દેવીની મૂર્તિ છે. તેમના હાથમાં ઘડો છે. તથા મસ્તકની ઉપરના ભાગમાં ભગવાનની નાની પ્રતિમા છે. ઉપરાંત બીજા એક ખૂણામાં નીચેના ભાગમાં લંબચોરસ આકારનો આરસનો એક ટુકડો છે જેની ઉપરના ભાગમાં અજીતનાથની નાની પ્રતિમા છે. નીચેના ભાગમાં લેખ છે જે નીચે પ્રમાણે છે :
“શ્રી વિધિપક્ષ ગચ્છે શ્રી અજિતનાથ મૂલનાયક:
પર શ્રી ગૌતમાય નમ: સંવત ૧૬. વર્ષે ફાલ્ગન સુદિ ૪ અપરાતિ પંચમી તિથી સોમવાસરે અઘેહ શ્રી પત્તનનગરે પાતશાહ શ્રીમદાફરરાજયે પાન શ્રી શેરષાન સમયે શ્રી અણહિલ્લપુર વાસ્તવ્ય | શ્રી શ્રીમાળી જ્ઞાતીયા સાંડસાગોત્રે ગોદડ સાષામાં સંઘવી જાટા પુ. સં. પીમાં સં. ભીમા સં. ખીમા સુત સં. જીવા સંવ ભીમા સુત સં. ખેતા | સં. હાસા સં. વચ્છા ! સંત હાસા ભાર્યા બાહર્ષાઈ ! સુત દો. રામા | ભાર્યા સુશીલા બાઇ જીવાદે સુ દો. ગુણરાજ | દ્વિતીય સત દો. વીરા | પુત્રી બા કબાઈ ! બાત કીકુ દો. ગુણરાજ | ભા. બા. ચંદ્રાઉલિ | સત્ર દોસી નકરાજ દો. હીરજી | દો. નકા / સુત દો. પંચાયણ | દો. દેવજી | હીરજી સુત દો. ગુણવંતી દોમનજી | દો. વીરા ! ભા. બાઈ લષમાઈ / પુત્રી બા. સુષમા . બા. ચાપાં | બા. નાકૂ બાઇ લાલા | બાઇ કીબાઈ ! પ્રહ કર્યા બા. કીકૂ સુત સા. સંધૂસા // શિવા. સા. સીરંગ ! એવં વિધિ નિજકુટંબ સહિર્ત | દો. રામા સુત દો. વીરાકેન નિજ પિતૃમાતૃ ભ્રાતૃ સ્વપુજાર્થ પ્રણમતિ જિનબિંબાનિ કારિતાનિ | શ્રીમત્ અંચલ)ગચ્છે . શ્રી આર્યરક્ષિતસૂરિશ્વરાણામ. યે શ્રી મેરૂતુંગસૂરિ I તત્પટૈ શ્રી જયકીર્તિસૂરિ તત્પટું શ્રી જયકેસરસૂરિ ! તત્પટે શ્રી સિદ્ધાંતસાગરસૂરિ તત્પટ્ટે શ્રી ભાવસાગરસૂરિ | તત્પટે શ્રી ગુણનિધાનસૂરિ તત્પટ્ટે સંપ્રતિ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org