________________
પાટણનાં જિનાલયો
૭૭
પર છેક ઉપરના માળ સુધી સુંદર કોતરણી છે. અહીં ત્રણ કમાનો અને ત્રણ ઝરૂખા જેવી રચના છે જે પૈકી મધ્યના ઝરૂખા પર ત્રણ દેવીઓ છે. ઝરૂખાને ફરતે વાજિંત્રો વગાડતી ચાર સુંદર પૂતળીઓનાં શિલ્પો કંડારેલાં છે. ઉપર બે બાજુ ટોડલા પર બેઠી મુદ્રામાં કાંસી-જોડાં વગાડતી પૂતળી છે. તેની ઉપર ખૂણામાં બે વાઘ છે. અન્ય બે બાજુના ઝરૂખામાં ધર્મચક્રની રચના છે તથા ટોડલા પર બંને બાજુ પૂતળીઓની રચના છે. ઝરૂખાના થાંભલે બંસરીવાદન કરતા શ્રી કૃષ્ણ અને નૃત્ય કરતી ગોપીઓ તથા પૂતળીઓની રચના છે. તેની ત્રણ કમાનોમાં સપરિવાર વિષ્ણુ ભગવાન, રિદ્ધિ-સિદ્ધિ સાથે ગણેશજી, યક્ષ અને નૃત્યની વિવિધ મુદ્રામાં હારબંધ આવેલી પૂતળીઓનાં શિલ્પો જોવા મળે છે. અહીં બહારથી જ છેક ઉપર ધાબામાંની ફરકતી ધજા નજરે પડે છે.
આ અતિ ભવ્ય જિનાલયને બહારથી નીરખી હવે કોતરણીયુક્ત લાકડાના મોટા દરવાજામાંથી પ્રવેશ કરતાં આજુબાજુ બે નાની ઓરડીઓ જોવા મળે છે. પછી છ પગથિયાં ચડતાં સામે અતીત, વર્તમાન અને અનાગત ત્રણે ચોવીશી – તેવું લખાણ લખેલું છે. અહીં ઉપર છતમાં રંગકામ છે. પછી ફરી આઠ પગથિયાં ચડતાં નાનો ચોક આવે છે. તેમાં બે બાજુ થાંભલા પર દ્વારપાળ છે. તેમના હાથમાં કટાર છે. સામે બે મલ્લ એકબીજાની ચોટી અને પગ પકડીને ઊભા હોય તેવાં શિલ્પો છે. થાંભલાની નીચેની બાજુ યક્ષ-યક્ષિણીનાં શિલ્પો છે. અહીં બે બાજુ પથ્થરનાં પગથિયાં છે. તે ચડતાં આદેશ્વરના જિનાલયમાં પ્રવેશી શકાય છે. આ પગથિયાંની સામે આવેલાં પગથિયાં ચડતાં ચંદ્રપ્રભસ્વામીના જિનાલયમાં પ્રવેશી શકાય છે.
જિનાલયમાં કુલ પચાસ આરસપ્રતિમા તથા તેર ધાતુપ્રતિમા છે. ઉપરાંત જિનાલયમાં આરસના બે ચોવીશીપટ, વીસવિહરમાનનો એક પટ અને ચૌમુખજીની પ્રતિમા છે.
આદેશ્વર મૂળનાયક આદેશ્વરના જિનાલયનાં પગથિયાં ચડતાં ઝરૂખો છે જેમાં મલ્લ કુસ્તી કરતા હોય તેવી શિલ્પાકૃતિ છે. બે બાજુ દીવાલ પર અનાનસ જેવા ફળની રચનાઓ ઉપસાવેલી છે. જિનાલયના રંગમંડપમાં પ્રવેશતાં કોતરણી સુંદર છે. નીચે ફરસ આરસની છે. ઉપરની છતમાં પણ રંગકામ કરેલ છે. રંગમંડપમાં બે ગોખ છે. પ્રત્યેકમાં આરસની બે પ્રતિમાઓ છે. તે મળીને અહીં કુલ ચાર આરસપ્રતિમા બિરાજમાન છે.
ત્રણ ગર્ભદ્વાર પૈકી મુખ્ય દ્વાર પર મધ્યમાં દર્શનીય પ્રતિમા અને થાંભલા પર દેવીઓ છે. બારસાખ કાષ્ઠની કોતરણીવાળી છે. ત્રણે ગર્ભદ્વાર પિત્તળના હાથીના મુખની કોતરણીવાળા છે. ગભારામાં મૂળનાયક તરીકે શ્રી આદેશ્વર બિરાજે છે. પ્રતિમાની ઊંચાઈ ૨૧” ઇંચની છે. ડાબા ગભારે ચંદ્રપ્રભસ્વામી તથા જમણા ગભારે અજીતનાથ બિરાજે છે.
મૂળનાયકની બંને બાજુ બે નાની આરસપ્રતિમા છે. અહીં ગભારામાં જમણી બાજુ અતીત ચોવીસીનો આરસનો પટ તથા ડાબી બાજુ અનાગત ચોવીસીનો આરસનો એક પટ છે. આ બંને પટ ઉપર સં. ૧૬૨૪ વંચાય છે. ઉપરાંત અહીં વર્તમાન ચોવીસીના કુલ ચોવીસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org