SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો વર્ષે વૈશાષ વિદ ૩ સોમે બ્રહ્માણીયગચ્છે શ્રી : રત્નાકરસૂરિણાં મૂર્તિ : ચતુર્વિશતિપટ પણ છે. ૭૫ શ્રેયસે .સૂરિપદ્યે શ્રી ...' લખાણ વંચાય છે. ગભારામાં જ ડાબી બાજુની ભીંતે આરસનો ઐતિહાસિક સંદર્ભ વખારના પાડામાં શાંતિનાથના જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મળે છે : બસે ચોરાણું બિંબ સહિત, શ્રી શાંતિનાથ પ્રાસાદજી । વખારતણા પાડામાં વંદુ, મુકી મન વિખવાદ જી ॥૬॥ સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં વખારના પાડામાં શાંતિનાથને પણ કવિએ જુહાર્યા હતા : તિહાં થકી જમણી દિસઇં, ચાલો ચતુર મનલાય, વાર વાર તણું પાડે, સોલસમો જિનરાય. ભ ૯૦ પાઠ સં. ૧૮૨૧માં ઉપા. જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં વખારના પાડામાં એક જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે : Jain Education International કુતકીઓ મથુરાંદાસનો, વખારનો પાડો જેહ; મેંહતાને પાર્ડે વલી, એકેક પ્રણમું તેહ. સં ૧૪ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં કવિ વક્ષારનો પાડો વિસ્તારમાં જઈ શાંતિનાથ તથા ચંદ્રપ્રભસ્વામી એમ બંને તીર્થંકરને નમન કરે છે. વક્ષારપાડે પ્રભુ શાંતિનાર્થ, ચંદ્રપ્રભ તીર્થંકર નમામિ । ચંદ્રપ્રભસ્વાંમીના નામનો ઉલ્લેખ સં. ૧૯૫૯માં સૌ પ્રથમ મળે છે. તે સમયે શાંતિનાથ તથા ચંદ્રપ્રભસ્વામીનું સંયુક્ત જિનાલય હતું કે બંને અલગ-અલગ જિનાલયો હતાં, તેની કોઈ સ્પષ્ટતા થઈ નથી. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં વખારનો પાડો વિસ્તારમાં શાંતિનાથનું એક જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. તે સમયે જિનાલય શિખર વિનાનું દર્શાવવામાં આવ્યું છે. ચંદ્રપ્રભસ્વામીના નામનો ઉલ્લેખ સં. ૧૯૬૩માં થયો નથી. જ્યારે સં. ૧૯૬૭માં તથા સં ૧૯૮૨માં ચંદ્રપ્રભસ્વામીનો ઉલ્લેખ થયો છે. જો કે તે સમયે પણ તેને અલગ જિનાલય તરીકે દર્શાવવામાં આવેલું નથી. પરંતુ સંયુક્ત જિનાલય તરીકે નિર્દેશ થયો હોય તેવું જણાય છે. ચંદ્રપ્રભસ્વામીનો મૂળનાયક તરીકે સ્પષ્ટ ઉલ્લેખ થયેલો છે. સં. ૧૯૬૩માં શાંતિનાથના જિનાલયમાં આઠ આરસપ્રતિમા અને એકસઠ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. પગલાંની એક જોડનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જિનાલયની સ્થિતિ સારી હતી. ઉપરાંત, સં. ૧૯૬૩માં For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy