________________
પાટણનાં જિનાલયો
ટૂંકમાં મુનિસુવ્રતસ્વામીનું જિનાલય સં ૧૬૨૨ના સમયનું છે. જ્યારે ભીડભંજનપાર્શ્વનાથનું જિનાલય સં. ૧૯૧૪ના સમયનું છે. જો કે પ્રતિમાઓ ઘણી પ્રાચીન છે. આમ છતાં, સં. ૧૭૨૯માં તથા સં. ૧૭૭૭માં પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ મળતો નથી, તે સંદર્ભમાં આ જિનાલયની વધુ પ્રાચીનતા નક્કી કરવા માટે વિશેષ સંશોધનની જરૂર છે.
૭૪
વખારના પાડામાં જઈએ એટલે જમણી બાજુ અંદર ખૂણે શ્રી શાંતિનાથનું ધાબાબંધી જિનાલય જોવા મળે. પૂર્વે અહીં બે જિનાલયો - ૧. શાંતિનાથ, ૨. ચંદ્રપ્રભુ હોવાનો ઉલ્લેખ સાંપડે છે. આ જિનાલયો સંયુક્ત હોય અને કાળક્રમે એક બન્યા હોય તેવું સંદર્ભસ્રોત જોતાં જણાય છે. વળી, આજે પણ મૂળનાયક શાંતિનાથની ડાબી બાજુએ શ્રી ચંદ્રપ્રભુ પરોણા તરીકે બિરાજમાન છે જ. અહીં શ્રી શાંતિનાથની વર્ષગાંઠ માગશર વદ એકમે તથા શ્રી ચંદ્રપ્રભુની વર્ષગાંઠ અખાત્રીજે એમ બે વર્ષગાંઠ ઊજવાય છે. વળી, મૂળનાયકની જમણી બાજુએ શ્રી લાડકા પાર્શ્વનાથની પ્રતિમા બિરાજમાન છે.
વખારનો પાડો શાંતિનાથ (સં. ૧૭૨૯ પૂર્વે)
—
મુખ્ય પ્રવેશદ્વારની બારસાખ રંગીન, કોતરણીવાળી છે. રંગમંડપમાં આવેલ થાંભલા પર પણ સુંદર રંગકામ, કોતરણી તથા દેવીઓની શિલ્પાકૃતિ છે. ઉપર છતના ભાગમાં પણ બારીક રંગીન કોતરણી છે. રંગમંડપમાં મૂળનાયકની સામેની દીવાલમાં એક ગોખ છે. તેમાં કાચકામ છે. બારસાખ પણ કોતરણી તથા મીનાકારીગરીયુક્ત છે.
રંગમંડપમાં દીવાલો ૫૨ ચિત્રિત કરેલ ઘણા પટ તથા પ્રસંગો છે. તેમાં ગિરનાર, શંખેશ્વર, રાણકપુર, શત્રુંજય, તારંગા, આબુ, કેશરીયાજી, સમેતશિખર, અષ્ટાપદ, બાહુબલીને બે બહેનો દ્વારા અપાતા ઉપદેશનો પ્રસંગ તથા ચૌદ રાજલોકનો સમાવેશ થાય છે. સમેતશિખરના પટ પર ‘સં. ૧૯૬૬ ફાગણ વદ ૧૧ શા૰ ઉત્તમચંદ જેઠાસાએ પોતે ચિત્રિત કરીને અર્પણ કરેલ છે’ તેવું જોવા મળે છે. અષ્ટાપદજીનો પટ કાચકામયુક્ત છે. જિનાલયમાં એક ગોખમાં પગલાં છે. આ પગલાં ગુરુનાં છે કે કોઈ તીર્થંકરનાં છે તે વાંચી શકાતું નથી, પરંતુ સાલ સં. ૧૮૬૭ વંચાય છે.
Jain Education International
ગભારામાં અગાઉ જોયું તેમ મૂળનાયક શ્રી શાંતિનાથ છે અને તે ૧૭” ઊંચાઈ ધરાવે છે. ડાબે ગભારે ગર્ભદ્વાર પર મૂળનાયક ચંદ્રપ્રભુ લખ્યું છે તે પ્રતિમા ધાતુના છે અને ૩૪”ની ઊંચાઈ ધરાવે છે. ખરેખર ગભારા સન્મુખ મહાવીરસ્વામી છે. મહાવીરસ્વામીની પ્રતિમા ધાતુની છે. ચંદ્રપ્રભસ્વામી મહાવીરસ્વામીની ડાબી બાજુની દીવાલે છે. અહીં કુલ સાત આરસપ્રતિમા, ત્રેસઠ ધાતુપ્રતિમા ઉપરાંત ત્રણ નાના આરસના યક્ષ અને ત્રણ ધાતુના યક્ષની પ્રતિમાઓ છે. શ્રી લાડકા પાર્શ્વનાથની જમણી બાજુ છેલ્લે એક સાધુમૂર્તિ છે તેના પર એક લેખ છે. તેમાં ‘
For Personal & Private Use Only
www.jainelibrary.org