________________
//રા
પાટણનાં જિનાલય
૭૩ સં. ૧૮૨૧માં ઉપાડ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં મહેતાના પાનામાં એક જિનાલય હોવાનો ઉલ્લેખ મળે છે. તે સમયે પણ મહેતાનો પાડો વિસ્તાર ઢંઢેરવાડા પાસે દર્શાવવામાં આવ્યો છે.
મેહતાને પાડે વલી, એકેક પ્રણમું તેહ. સં. ૧૪
હવે ઢંઢેરવાડે પેખી, મનોહર દેહરાં આર; સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં મુનિસુવ્રતસ્વામી તથા ભીડભંજન પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે. ભીડભંજન પાર્શ્વનાથનો નામોલ્લેખ સં. ૧૯૫૯માં સૌ પ્રથમ વાર મળે છે. જયારે પ્રતિમાના લેખ પર કર્મચિંતામણિના નામનો ઉલ્લેખ થયેલો છે.
પાડે માફતિયાહે મુનિસુવ્રતવિમું ભૂમિનાથે સુસેવ્યું, વંદે વૃંદારકેરૈઃ સ્તુતમવનિતલે મોક્ષદાનૈકલિમ્ | વાયેય પાર્શ્વનાથે શઠકમઠગજાગર્વભેદેકસિંહ,
નાસ્ના શ્રીભીડભંજે મુનિગણમહિત તીર્થનાથું નમામિ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં મારફતિયા મહેતાના પાડામાં પાર્શ્વનાથ અને મુનિસુવ્રતસ્વામીના જિનાલયનો અલગ-અલગ ઉલ્લેખ થયેલો છે. પાર્શ્વનાથના જિનાલયમાં બાર આરસપ્રતિમા તથા અગિયાર ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયને શિખર વિનાનું દર્શાવ્યું છે. જિનાલય બંધાવનાર તરીકે શા. પાનાચંદ ફતેચંદના નામનો ઉલ્લેખ થયેલો છે. જિનાલયનો સમય સં. ૧૯૧૪નો દર્શાવ્યો છે. જયારે મુનિસુવ્રતસ્વામીના જિનાલયને શિખર વિનાનું દર્શાવ્યું છે. જિનાલયમાં દસ આરસપ્રતિમા તથા એકસોએક ધાતુપ્રતિમાજીઓ બિરાજમાન હતી. ઉપરાંત તે સમયે મહેતાના પાડામાં ચાર ઘરદેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. ૧. શા ઘેલાભાઈ છગનલાલ, ૨. શા. દોલતચંદ સાકલચંદ, ૩. શા. હેમચંદ ગગલચંદ અને ૪. શા. ગગલભાઈ નાનચંદ.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં મહેતાનો પાડો વિસ્તારમાં મુનિસુવ્રતસ્વામીના જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. પાર્શ્વનાથના જિનાલયનો અલગ ઉલ્લેખ થયો નથી. જિનાલયમાં દસ આરસપ્રતિમાં અને ત્રાણું ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. વહીવટ મોહનલાલ વાડીલાલ હસ્તક હતો. ઉપરાંત મહેતાના પાડામાં ત્રણ ઘરદેરાસરો વિદ્યમાન હતાં. ૧. આદેશ્વર (મોહનલાલ હેમચંદના ઘરે), ૨. શાંતિનાથ (મારફતિયા અનોપચંદ રતનચંદ) અને ૩. આદેશ્વર (શેઠ લખમીચંદ ખેમચંદના ઘરે).
આજે મારફતિયા મહેતાના પાડામાં એક જ કંપાઉંડમાં મુનિસુવ્રતસ્વામીનું જિનાલય અને ભીડભંજન પાર્શ્વનાથનું જિનાલય આવેલું છે. આ જિનાલયમાં આરસની તકતીમાં એક શિલાલેખ છે. તેમાં આ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૬૨૨માં થયાનો ઉલ્લેખ છે. સદરહુ લેખ સં૧૬૭૩માં કોતરવામાં આવ્યો હતો. વહીવટ આ જ વિસ્તારમાં રહેતા શ્રી અમિતકુમાર જયંતિલાલ શાહ, શ્રી સારાભાઈ રીખવચંદ શાહ તથા શ્રી પ્રકાશકુમાર જયંતિલાલ શાહ હસ્તક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org