________________
૭૨
પાટણનાં જિનાલયો
II૭૪
સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મળે છે. તે સમયે પાર્શ્વનાથ (સાહા વછરાજના ઘરે) તથા મહાવીરસ્વામી (મહિતા સારંગના ઘરે) – એમ બે ઘરદેરાસરોનો ઉલ્લેખ થયેલો છે :
મહિતાનાં પાડઈ જોઈઇ, સાહા વછરાજ ઘરિ જિન ચાહીઈ બિંબ પાચસ્ પાસ નિણંદ, કાસગીયા દીઠ આણંદ ૧૯ સુંદર ઘર મહિતા સારંગ વિવહાર સિદ્ધ મનિ જાણઇ રંગિક
મહાવીરસું બિ જિનસાર, આંગી કંઠિ અનોપમ હાર ૨૦ એટલે કે સાહા વછરાજના ઘરદેરાસરમાં મૂળનાયક પાર્શ્વનાથ સાથે પાંચ પ્રતિમાઓ બિરાજમાન હતી જે પૈકી કાઉસ્સગ્ગિયા પ્રતિમા પણ હતી. સારંગ મહેતાના ઘરદેરાસરમાં કંઠે અનુપમ હાર ધારણ કરેલ મૂળનાયક પાર્શ્વનાથ સાથે બે પ્રતિમા હતી.
ત્યારબાદ સં. ૧૯૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ વિસ્તારમાં મુનિસુવ્રતસ્વામીના જિનાલય તથા પાર્શ્વનાથ (સાહા વછાના ઘરે) – એમ કુલ બે જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે :
મહિતાપાટકિ નિરષલ, મુનિસુવ્રત જિન પરષ વીસ જિણંદ તિહાં જુહારઉં, પૂજી સમકિત ધારઉ. સહા વછા ઘર પાસ, ત્રણ જિન પૂરઈ એ આસ /I૭પા જિન સરિષાં બિંબ જાણી, પેલી ભાવ મનિ આણઉ.
નિયમ વ્રત સૂધઉં એ પાલઉં, સમકિત રયણ અજૂઆલf I૭૬ll સહા વછાના ઘરદેરાસરમાં પાર્શ્વનાથની પ્રતિમા સાથે કુલ ત્રણ પ્રતિમાઓ બિરાજમાન હતી. આ ત્રણેય પ્રતિમાઓ એકસરખી પ્રભાવક હતી.
આજે પણ ભીડભંજન પાર્શ્વનાથની પ્રતિમા ઉપરાંત વાસુપૂજયસ્વામીની પ્રતિમા તથા શંખેશ્વર પાર્શ્વનાથની ધાતુમતિમાં બિરાજમાન છે. ભીડભંજન પાર્શ્વનાથની પ્રતિમા પર સંત ૧૫૨રનો લેખ છે. વાસુપૂજ્યની પ્રતિમા પર સં. ૧૫૮૨નો લેખ છે જ્યારે શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા પર સં. ૧૫૫૮નો લેખ છે.
સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મહેતાનો પાડો વિસ્તારમાં મુનિસુવ્રતસ્વામીના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે :
મહેતાને પાડે મુનિસુવ્રત, સિત્તેર જિન પરધાન જી //પો. ત્યારબાદ સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મહતાની પોળમાં મુનિસુવ્રતસ્વામીના જિનાલયનો ઉલ્લેખ મળે છે :
પ્રણમું મહતાની પોલિં, મુનીસુવ્રત જગનાથ, અશ્વ તણી પરઇ ઓધરઇ, આપઇ સિવપુરી સાથ. ભ. ૮ પાટ.
ભs
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org