SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ પાટણનાં જિનાલયો પદ્માવતીદેવીની આરસની મૂર્તિ બિરાજમાન છે. તેની પ્રતિષ્ઠા સં. ૨૦૪૭ના મહા સુદ ૬ મંગળવારના રોજ થઈ છે. પિત્તળનાં કોતરણીવાળાં ત્રણ ગર્ભદ્વાર છે. ગભારામાં પ્રવેશતાં ચાંદીની કોતરણીવાળી છત્રીમાં મૂળનાયક તરીકે કલિકુંડ પાર્શ્વનાથની રપ” ઊંચાઈ ધરાવતી પ્રતિમા બિરાજે છે. અહીં કુલ પંદર આરસપ્રતિમા તથા પિસ્તાળીસ ધાતુપ્રતિમા છે. મૂળનાયકની ડાબે ગભારે પાર્શ્વનાથ તથા જમણે ગભારે ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમા બિરાજે છે. ઐતિહાસિક સંદર્ભ આ જિનાલય પાટણભરમાં પ્રસિદ્ધ છે, કારણ કે શ્રી કલિકુંડ પાર્શ્વનાથની પૂજા કરી, પુષ્પમાલા પહેરાવે તે સદાકાળ માટે વીંછીના ભયથી નિશ્ચિત થાય છે. વિશ્વના સઘળા વીંછીઓ તેને અભયદાન આપે છે. આ માન્યતાને સમર્થન આપતું અને પ્રભુના પરમ પ્રભાવનો પરિચય કરાવતું વીંછીનું પ્રતિક આ જિનાલયની દીવાલે આકારિત થયેલું જોવા મળે છે. આજે તો વીંછીનો ભય ઓછો થયો છે પણ નવી વસેલી નગરીમાં જ્યારે વીંછીનો ઉપદ્રવ ખૂબ જ રહ્યો હશે ત્યારે પ્રભુના આ ચમત્કારને કારણે તેમને વીંછિયા પાર્શ્વનાથનું નામ પણ પ્રાપ્ત થયું હતું. જો કે, પાટણના ઢંઢેરવાડામાં બિરાજતાં આ પાર્શ્વપ્રભુ “કંકણ” અને “વીંછિયા” સિવાયના ત્રીજા જ નામથી વધુ પ્રચલિત છે. વર્તમાનમાં સહુ તેમને કલિકુંડ પાર્શ્વનાથના નામથી ઓળખે છે. સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ઢંઢેરવાડામાં શામળા પાર્શ્વનાથના જિનાલયના ઉલ્લેખની સાથે કલિકુંડ પાર્શ્વનાથનો પણ ઉલ્લેખ થયેલો છે. પહિલું ઢંઢેરવાડઈ નામિ | સામલા પાસ કરું પ્રણામ જિમણાં પાસઈ કલિકુંડ પાસ / મનવંછિત સવિ પૂરઇ આસ /રા સં. ૧૬૫૫માં કવિ પ્રેમવિજયે ૩૬૫ શ્રી પાર્થ જિનનામમાળા'માં શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કર્યું છે. સં. ૧૬૫૬માં કવિ નયસુંદરે રચેલ “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદમાં શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુને પણ તેઓએ યાદ કર્યા છે. સં. ૧૭૨માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ જિનાલયનો ઉલ્લેખ છે. ઉપરાંત, સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ પાર્શ્વનાથના સ્મરણથી વૃશ્ચિકના (વીંછીના) ભય ટળે છે તેવી નોંધ પણ છે : પ્રાસાદ ત્રીજઈ પાસજી, કલિકુંડ જિનરાય, અહિ વૃશ્ચકના ભય ટલે, સમરતાં સુખ થાઈ. ભ૦ ૭૦ પાઠ સં. ૧૭૯૭ના મહા સુદ ત્રીજને શુક્રવારે પાટણમાં કવિ ભાવરને રચેલા ‘સુભદ્રાસતીના રાસ'માં પણ આ તીર્થનો ઉલ્લેખ છે. સં. ૧૮૮૧ના ફાગણ વદ ૪ના દિને પં. ઉત્તમવિજયે રચેલા “શ્રી ૧૦૮ પાર્શ્વનાથ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy