________________
પાટણનાં જિનાલયો
૬૫
ભગવંતના છંદ'માં પણ કંકણ પાર્શ્વનાથનું નામ મળે છે.
સં. ૧૯૫૯માં પંહીરાલાલે શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં પણ ઢંઢેરવાડાના કંકણ પાર્શ્વનાથ ભગવંતની સ્તુતિ કરી છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ઢંઢેરવાડામાં કલિકુંડ પાર્શ્વનાથના જિનાલયને શિખર વિનાનું દર્શાવવામાં આવ્યું છે. તે સમયે કુલ સોળ આરસપ્રતિમા અને એકતાળીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. ઉપરાંત તે સમયે જિનાલયની સ્થિતિ સારી હોવાની નોંધ છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ઢંઢેરવાડામાં આવેલા કલિકુંડ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયેલો હતો. તે સમયે સોળ આરસપ્રતિમા અને ચાળીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. તે સમયે વહીવટદાર તરીકે શ્રી હેમચંદ મોહનલાલનો ઉલ્લેખ થયેલો છે.
આજે જિનાલયના મુખ્ય વહીવટદાર તરીકે શ્રી ભૂપેન્દ્રભાઈ પોપટલાલ (મુંબઈ) તથા મુંબઈનિવાસી શ્રી અશ્વિનભાઈ અમીચંદ, શ્રી નેમચંદભાઈ ખેમચંદભાઈ તથા ઢંઢેરવાડામાં રહેતા શ્રી જિતેન્દ્રભાઈ બબાલાલ શાહ સેવાઓ આપી રહ્યા છે.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૬૪૮ની આસપાસના સમયનું સ્પષ્ટપણે માની શકાય છે. પ્રતિમાની અલૌકિકતાને કારણે આ જિનાલયનું માહાભ્ય ખૂબ જ વધ્યું છે.
ઢંઢેરવાડો મહાવીર સ્વામી (૧૯મા સૈકા પૂર્વે)
ઢંઢેરવાડામાં પ્રવેશતાં પ્રથમ શ્રી કલિકુંડ પાર્શ્વનાથનું જિનાલય આવે છે. ત્યાંથી થોડે આગળ જતાં મહાવીરસ્વામીનું અતિ પ્રાચીન, ઘુમ્મટબંધી જિનાલય આવે છે. મુખ્ય એક પ્રવેશદ્વાર છે. તેની કમાન પર કોતરણી છે તથા ઉપરના ભાગમાં શ્રી મહાવીર સ્વામીના શિલ્પની આજુબાજુ ચામર ઢાળતી દેવી તથા હાથી, પોપટ અને દેવ-દેવીઓનાં મનમોહક શિલ્પો છે.
અંદરની દીવાલો આરસની તથા પથ્થરના થાંભલા રંગકામયુક્ત છે. આ જિનાલયમાંની ચોવીસ ચોકી તેની વિશાળતા અને ભવ્યતાનો નિર્દેશ કરે છે. જિનાલયમાં પ્રવેશતાં જ સામેના ગોખમાં ગણપતિ તથા આજુબાજુ દેવીઓ એવી આરસની એક નાની પેનલ ભીંતે જડેલી છે. તેની બાજુમાં નીચે મુજબનું લખાણ છે :
આ મંદિરમાંનો લાકડાની કારીગરીવાળો આશરે ૪00 વર્ષ જૂનો ઘુમ્મટ શ્રી પંચાસરા પાર્શ્વનાથજીના જૂના મંદિરમાંથી નીકળેલ હતો. શ્રી પંચાસરાના નવા મંદિરની પ્રતિષ્ઠા સં ૨૦૧૧માં કરવામાં આવી ત્યારે શ્રી સંઘે આ ઘુમ્મટ ઢંઢેરવાડાના મહાવીરસ્વામીના આ મંદિર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org