________________
૬ ૨
પાટણનાં જિનાલયો
સતર ભેદ પૂજા સુવિશાલ | કીજઇ ભાવઇ રંગ રશાલ | ઋષભાદિક જિન ત્રઇતાલીસ | ભગતઈ ભાવઇ ના શીસ !!ટો. સહા ધનજી દેહરાસરિ દીઠ | નયણે અમીય રસાયણ પઈટ | ઋષભાદિક જિન ઇગ્યાર ( સુવાસવટુ છઇ એક ઉદાર પેલા મેલાવિસા દેહરાસરિ આવિ | ઋષભાદિક બાસઠિ નમું ભાવિ | વિસા ભીમા દેહરાસર સાર | ઋષભાદિક જિન ત્રીસ વિચારિ ||૧ના દોસી રાજૂ દેહરાસર દેષિ / અઠાવીસ જિનવર હરષઈ પેષિ /
રતન સંઘવી દેહરાસરિ નિણંદ | પંચવીસ જિન દીઠઇ આણંદ ૧૧ સં. ૧૯૧૩માં વિસા મેલાના ઘરે મૂળનાયક તરીકે પાર્શ્વનાથનો ઉલ્લેખ છે, જ્યારે સં. - ૧૬૪૮માં મેલા વિસાના ઘરે મૂળનાયક તરીકે આદેશ્વરનો ઉલ્લેખ છે.
સં૧૭૨થી અદ્યાપિપર્યત ઢંઢેરવાડામાં ૧. શામળા પાર્શ્વનાથ, ૨. મહાવીરસ્વામી, ૩. કલિકુંડ પાર્શ્વનાથ_એમ કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હોવાનો સાતત્યપૂર્વક ઉલ્લેખ મળે છે.
સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ઢંઢેર એવાં ટૂંકા નામ સાથે ત્રણ જિનાલયોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં ઉલ્લેખ થયો છે :
ઢંઢેર સામલ કલિકુંડ પાસજી | નમતાં પાપ નિકંદાજી ll૪
એકસો ત્રાસી પ્રતિમા રૂડી, ત્રાસી જિન વર્ધમાનજી | સં ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ઢંઢેરવાડામાં કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ નીચેની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે :
ઢંઢેરવાડે ઢલકતો ઉંચો જિન આવાસ, ભ, મોટું બિંબ વિરાજતું, ભેટ્યા સાંમલપાસ ૫ ભવ પાર હો, ભવિ પ્રાસાદ બીજે વીરજી, ચરણ નમું નિસ દીસ, સાસન જેહનું વર્તસઈ, વરસ સહસ એકવીસ. ભવિ ૬ પા પ્રાસાદ ત્રીજઈ પાસજી, કલિકુંડ જિનરાય,
અહિ વૃશ્ચકના ભય ટલે, સમરતાં સુખ થાઈ. ભ. ૭. પા. સં. ૧૭૯૭માં ભાવપ્રભસૂરિએ “સુભદ્રાસતીરાસની રચનામાં ઢંઢેરવાડાનાં જિનાલયોનો ઉલ્લેખ નીચેની પંક્તિઓમાં થયો છે :
તે ગુરુચરણસરોજકૃપાએ, મુઝ મતિ જ્ઞાને વાસી, શ્રી ભાવપ્રભસૂરીશ સતીનો, સંબંધ કહે ઉલ્લાસી રે. ૧૧ શ્રી પત્તનપુર ઢંઢરેવાડે, પોલિ પ્રાસાદ ઉત્તેગા, શ્રી વીર શામલો પાસ જિણેશર, કલિકુંડ પાસ સુચંગા રે. ૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org