________________
૬૦
પાટણનાં જિનાલયો
- ટૂંકમાં પડીગૂંદીની પોળનું શીતલનાથનું આ જિનાલય સં. ૧૭૨૯ પછી બંધાયું હોવાનું સ્પષ્ટ થાય છે તેથી તે સં૧૭૭૭ પૂર્વેનું ચોક્કસપણે માની શકાય.
ઢંઢેરવાડો ઢંઢેરવાડો વિસ્તાર ઘણો પ્રાચીન છે. જૈન ગૂર્જર કવિઓ(ભાગ-૯)માં ઢંઢેરવાડા વિસ્તાર વિશે માહિતી મળે છે તે અહીં આપીશું તો અસ્થાને નહીં ગણાય. આ પુસ્તકના પૃ. ૧૦૮ પર મુનિ સમુદ્રઘોષની માહિતી આપતાં જણાવ્યું છે : “થિરાપદ્રીય દેશમાં કોઈ પ્રામે ચૈત્યમાં જિનબિંબ પ્રતિષ્ઠા માંડી, ત્યાં દિનદિન પ્રતિ અમારિ-ઢંઢેરો ફેરવ્યો, તદા લોકે તે કુટુંબનું નામ ઢંઢેર એહવું પાડ્યું. તે ઢંઢેર કુટુંબના ખોના, ઝાંઝણ પ્રમુખે અણહિલ્લપુર પાટણમાં વાસ પૂર્યોપાટક વસાવ્યું, ને તે ઢંઢેરવાડક કહેરાવ્યો. મહાવીરપ્રાસાદ નવો કરાવી થાપ્યો. આગળ પૌષધશાળા કરાવી. ગુરુ ચોમાસું રહ્યા. ઢંઢેરિયા પુનિમિયા લોકે કહ્યા.” આ સમુદ્રઘોષ ૧૩માં સૈકામાં થઈ ગયા.
| ઉપલબ્ધ ચૈત્યપરિપાટીઓ પૈકી સં. ૧૫૭૬ની સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આપણને આ ઢંઢેરવાડો વિસ્તાર તથા મહાવીરપ્રાસાદની માહિતી પ્રાપ્ત થાય છે :
જિણવર સારાં કાજ, સફલ જનમ મુઝ આજ,
ઢંઢેરવાડઈ પૂનમીયા, વીર જિસેસર નમિયા. - ૩૪. ત્યારબાદ સં. ૧૯૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ઢંઢેરવાડામાં કુલ સાત જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે જે પૈકી ચાર ઘરદેરાસરો હતાં : ૧. શામળા પાર્શ્વનાથ, ૨. મહાવીરસ્વામી, ૩. શામળા પાર્શ્વનાથ, ૪. પાર્શ્વનાથ (વિસા મેલાના ઘરે), ૫. તીર્થકર નામ નથી (સાહા સીચાના ઘરે), ૬. સંભવનાથ-શીતલનાથ (સાહ ભોજાના ઘરે) અને ૭. આદેશ્વર (પારેખ રાયચંદના ઘરે).
ઢંઢેરવાડઈ પટુતા જામ, પ્રથમ દેહરઈ શ્રી સોમલનામ શ્યાલીસ પ્રતિમા તિહા વાંદીઇં, દરસણ દીઠઈ આણંદીઈ ૨૧ મહાવીર બીજઈ સુખ કરઈ, પ્રતિમા દેખી હીયડું ઠરઇ, બિ પ્રતિમા નિત કીજઇ સેવ, ત્રીજઇ દેહરઈ સામલદેવ ૨૨ ઉદભત્ત મૂરતિ સેતુ પાય, ભેટિ ભાવઠિ દૂરિ પલાય પૂજા કરતાં હરષ અપાર, સતર ભેદ વિધિ કીજઇ સાર ૨૩ નવ પ્રતિમા નમીઇ ભાવસું, વિસા મેલાનાં ઘરિ આવસું તિહાં તીર્થકર ત્રેવીસમું, બિંબ પાંચ જિન ભાવિૐ નમુ ૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org