________________
પાટણનાં જિનાલયો
પ૯
ગભારે નેમનાથની શ્યામ પ્રતિમા તથા ડાબે ગભારે મહાવીરસ્વામીની પ્રતિમા છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૭૭૭માં રચાયેલી લાધશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સૌ પ્રથમ વાર આ જિનાલયનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ અદ્યાપિપર્યત પડીગૂંદીના પાડામાં આ જિનાલયનો ઉલ્લેખ સાતત્યપૂર્વક થયેલો છે. સં. ૧૭૭૭ પૂર્વે સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં એનો ઉલ્લેખ થયો નથી.
સં. ૧૭૭૭માં રચાયેલી લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ જિનાલયનો ઉલ્લેખ નીચેની પંક્તિઓમાં થયેલો છે :
પોલું પડીગૂંદી તણું, સમરું સીતલનાથ,
ભવ ભ્રમ ભૂલા જંતુઓં, આપે સિવપુરી સાથ. ૨ સં. ૧૮૨૧માં ઉપાડ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં ઢંઢેરવાડાના જિનાલયોનો ઉલ્લેખ કર્યા બાદ વડીગૂંદીનો પાડ વિસ્તારમાં એક જિનાલયનો ઉલ્લેખ કર્યો છે, જે સંભવત: શીતલનાથનું જિનાલય હોવું જોઈએ :
હવે ઢંઢેરવાડે પેખી, મનોહર દેહરા ચ્યાર;
વડીગુંદીઈ એક ચૈત્ય છે, કોકાર્દ પાડે દોય સાર. સં. ૧૫ સં. ૧૯૫૯માં પં. હીરાલાલ રચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે :
વય નમામો પડિગંદીપાડે, શ્રી શીતલ તીર્થકર સુભજ્યા ! | સુરાસુરે પરિસેવ્યમાન, મોક્ષશ્રિયઃ કેલિવિલાસ ગેહમ્ ||૪||
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં પડીગૂંદીના પાડામાં શીતલનાથના જિનાલયને ધાબાબંધી દર્શાવવામાં આવેલું છે. તે સમયે ચાર આરસપ્રતિમા તથા સાત ધાતુપ્રતિમા હોવાનો ઉલ્લેખ છે. જિનાલયની સ્થિતિ તે સમયે સારી હોવાની નોંધ છે. ઉપરાંત સં. ૧૯૬૩માં પડીગૂંદીના પાડામાં શા. વસ્તાચંદ ઉજમચંદના ઘરદેરાસરનો ઉલ્લેખ પણ થયેલો છે.
સં૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘુમ્મટબંધી તરીકે થયેલો છે. તે સમયે પાંચ આરસપ્રતિમા અને ઓગણીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. સ્ફટિકની એક પ્રતિમા પણ તે સમયે વિદ્યમાન હોવાની નોંધ છે. જિનાલયની સ્થિતિ સારી હતી. વહીવટદાર તરીકે લહેરચંદ શાહના નામનો ઉલ્લેખ છે.
આજે આ જિનાલયમાં ચાર આરસપ્રતિમા બિરાજમાન છે. વહીવટદાર તરીકે આ વિસ્તારમાં જ રહેતા શ્રી ભગવાનદાસ લહેરચંદ મશરૂવાલા તથા મુંબઈનિવાસી શ્રી દેવેન્દ્રભાઈ કસ્તુરચંદ શાહ સેવાઓ આપી રહ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org