________________
પાટણનાં જિનાલયો
પપ
મૂળનાયક શ્રી અભિનંદન સ્વામીની પ્રતિમા તથા તેની આજુબાજુના બંને ભગવાનની પ્રતિમાઓ પર પણ સં. ૧૬૫૯નો મૂર્તિલેખ વંચાય છે. આથી, આ જિનાલય સં૧૬૫૯નું જ હોવાનો વિશેષ સંભવ છે.
ખેતરપાલનો પાડો
શીતલનાથ (સં. ૧૬૧૩ પૂર્વે) ખેતરપાલનો વાડો નામના વિસ્તારનો ઉલ્લેખ સૌ પ્રથમ સં. ૧૫૭૬માં સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં થયેલો છે. તે સમયે ત્યાં એક જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે પરંતુ તેના નામનો ઉલ્લેખ નથી. ત્યારબાદ સં. ૧૬ ૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ખેત્રપાલનો પાડો વિસ્તારમાં શીતલનાથના જિનાલય ઉપરાંત અન્ય ત્રણ ઘરદેરાસરો અનુક્રમે શીતલનાથ (પારેખ કીકાના ઘરે), તીર્થંકર નામ નથી (સંઘવી ટોકરના ઘરે)તથા મહાવીરસ્વામી (મંત્રી વણાઈગના ઘરે) તરીકે નીચેની પંક્તિઓમાં ઉલ્લેખાયા છે :
પાડા ખેત્રપાલમા દેવ, શીતલ સ્વામી દસમા દેવ શીતલ નીર ભરી ભંગાર, સીતલ ચંદન કેસર સાર ૩૧ પ્રતિમા બઈતાલીસ ભાવઇ, પારષિ કીકા ઘરિ આવીશું ત્રિગઢઇ સમોસરણ મંડાણ, ચુબારે શ્રી શીતલ જાણ સિષર કલસ ધજ ઉપઈ સાર, ઘંટતાલ ઘેઘૂર ઝમકાર સતર ભેદ પૂજા કીજીઇ, નવ પ્રતિમા નવ અંગ પૂજઇ ૩૩ સંઘવી ટોકર ઘરિ જાણીઇ, દેહરાસુરસું મન આણીઇ બે પ્રતિમા એક જિન ચુવીસ, કર જોડી નિત નાગૂ સીસ ૩૪ પીતલમાં પ્રતિમા મનિ આણિ, મંત્ર વણાઈગનઈ ઘરિ જાણિ
ચર્મ તીર્થકર સેવ સદા દાલિદ દોહગ નાવઈ કદા ૩૫ ત્યારબાદ સં. ૧૬૪૮માં, સં. ૧૭૨૯માં, સં. ૧૭૭૭માં, સં. ૧૯૫૯માં, સં. ૧૯૬૩માં અને સં૨૦૧૦માં પણ ખેતરપાલના પાડામાં માત્ર શીતલનાથના એક જિનાલયનો ઉલ્લેખ સાતત્યપૂર્વક થયેલો છે. જો કે સં૧૯૬૩માં ખેતરપાલના પાડામાં આ જિનાલય ઉપરાંત બે ઘરદેરાસરો – શા. રતનચંદ રામચંદ અને શાહાલાચંદ મોકમચંદનું – નો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આજે આ ઘરદેરાસરો વિદ્યમાન નથી. માત્ર શીતલનાથનું જિનાલય જ વિદ્યમાન છે.
પંચાસરથી પાટણ લાવવામાં આવેલા પંચાસરા પાર્શ્વનાથ ભગવાનની સાથે જ પદ્માવતી દેવીની પણ આરસની મોટી એક પ્રતિમા લાવવામાં આવી હતી જે આજે આ જિનાલયના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org